Monday, December 29, 2025

મોરબી તથા જામનગરના ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા 16 વર્ષથી નાસતા ફરતા ઇસમને દ્વારકાથી દબોચી લેતી પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તથા જામનગર જિલ્લાના અલગ અલગ ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને દ્વારકા જિલ્લા ખાતે મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ટાફની ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ટાફને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી જીલ્લાના તથા જામનગર જીલ્લાના અલગ અલગ ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી જારીયો ઉર્ફે રાજુ ઉર્ફે માનસીંગ સમરીયો સીંગાડીયા રહે. વાગધારી,ફુટતાલાબ તા.જોબટ જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) વાળો હાલે દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે ખેત મજુરી કામ કરતો હોવાની બાતમી મળતા તુરંત બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી દેવભૂમિ દ્રારકા જીલ્લાના ખંભાળીયા તાલુકાના ભાતેલ ગામની સીમ સિધ્ધરાજસિંહ પ્રભાતસિંહ જાડેજાની વાડી ખાતેથી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.

આમ, મોરબી જીલાના ટંકારા પોલીસ સ્ટેશનના એક તથા જામનગર જીલ્લાના પંચ એ ડીવીઝન. પોલીસ સ્ટેશનના બે મળી એમ કુલ ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર