મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી પૌત્રીના જન્મદીનની ઉજવણી કરાઈ
પૌત્રીના બીજા જન્મદીનની પ્રેરક ઉજવણી કરતો ઘુંટુંનો કૈલા પરિવાર.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મોરબીના ઘુંટું ગામના રહેવાસી રવજીભાઈ રણછોડભાઈ કૈલા દ્વારા તેમની પૌત્રી વ્રિતી ભાવેશભાઈ કૈલાની બીજા જન્મદીવસની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજી કરી હતી.
આ તકે રવજીભાઈ રણછોડભાઈ કૈલા (દાદા), શોભનાબેન રવજીભાઈ કૈલા (દાદી), ભાવેશભાઈ રવજીભાઈ કૈલા (પિતા), નિપાબેન રવજીભાઈ કૈલા (માતા), રોહીતભાઈ રવજીભાઈ કૈલા, પુજાબેન રોહીતભાઈ કૈલા, ચંદુભાઈ રણછોડભાઈ કૈલા, વિજયાબેન ચંદુભાઈ કૈલા, પ્રવિણભાઈ રણછોડભાઈ કૈલા, ઉર્મિલાબેન રણછોડભાઈ કૈલા, જયસુખભાઈ રણછોડભાઈ કૈલા, નિતાબેન રણછોડભાઈ કૈલા, રાજેશભાઈ ભગવાનજી ભાઈ કૈલા, વર્ષાબેન રાજેશભાઈ કૈલા, જયપ્રકાશભાઈ ભગવાનજીભાઈ કૈલા, અનિતાબેન જયપ્રકાશભાઈ કૈલા, ગં.સ્વ.સવિતાબેન સવજીભાઈ કૈલા, વ્રિષા, રુહી, ક્રિષ્ન, સહીત ના પરિવાર ના સભ્યોએ ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.
પ્રવર્તમાન સમયે લોકો પોતાના શુભ પ્રસંગની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે ઘુંટું ના કૈલા પરિવારે પૌત્રીના જન્મદીન નિમિતે સેવા કાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી ધામના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, હિતેશભાઈ જાની, સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ શુભકામના પાઠવી હતી.