શ્રી રામજી મંદિરના લાભાર્થે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓનું અવિરત સેવા બદલ સન્માન
ગોકુળ ના બાલા હનુમાન વેલનાથ ધુન મંડળ દ્વારા શ્રી રામજી મંદિરનાં લાભાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરૂ આયોજન પ.પૂ. રતનેશ્વરીદેવીજી (રામધન આશ્રમ-મોરબી) ના વ્યાસાસને કરવામાં આવ્યુ છે ત્યારે સપ્તાહમાં મોરબી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓની અવિરત માનવસેવા બદલ તેઓને સન્માનિત કરવા માં આવ્યા હતા. મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, અનીલભાઈ સોમૈયા સહીત ના અગ્રણીઓનું શાલ તેમજ સન્માન પત્ર અર્પણ કરી સપ્તાહ ના આયોજક સુરેશભાઈ શિહોરીયા, હરીભાઈ રાતડીયા સહીતના દ્વારા સન્માન કરવા માં આવ્યુ હતુ. તે ઉપરાંત મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા વ્યાસપીઠ પર બિરાજમાન પ.પૂ.રતનેશ્વરી દેવીજી (રામધન આશ્રમ-મોરબી) ને શાલ અર્પણ કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.
મોરબી: હળવદ રોડ ઉપર આવેલ એકોર્ડ વિટ્રોફાઇડ સિરામિકના માલિક નરભેરામભાઈ પટેલ ( પૂર્વ પ્રમુખ સિરામિક એસોસિએશન) તથા તેમના પુત્ર સાગરભાઈ પટેલ અને અમિતભાઈ, જયભાઈ, વૈભવભાઈ, વિરલભાઈ, નીરવભાઈ,હર્ષભાઈ તથા તેમજ એકોર્ડ વિટ્રોફાઇડ સિરામિકની ટીમ દ્વારા બીજી વખત મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બ્લડ ડોનેશન કેમ્પમા મોરબી સિવિલ...
મોરબી: નગરપાલિકાને તા.૦૧/૦૧/૨૦૨૫ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવથી મોરબી નગરપાલિકા અને તેની આસ-પાસના ૦૯ ગ્રામ પંચાયતોને ભેળવીને મોરબી મહાનગરપાલિકામાં રૂપાંતરીત કરવામાં આવેલ છે. જેમાં અમરેલી ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા સદર ગ્રામ પંચાયતમાં રહેલ સ્વભંડોળ અંતર્ગત ગ્રામ પંચાયતના થયેલ ઠરાવ અન્વયે કામોની તાંત્રિક...
અખીલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ તથા ગાયત્રી ચેતના કેન્દ્ર – મોરબી દ્વારા ધી વી સી ટેક્નિકલ હાઈસ્કૂલ- મોરબી ખાતે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાયબ જીલ્લા વિકાસ અધિકારી શૈલેષ ભાઈ ભટ્ટ તથા વાત્સલ્ય ભાઈ ગડારા દ્વારા બાળકોને વ્યસન થી થતાં ગેરફાયદા વિશે સમજણ આપી તથા સમાજને...