મોરબી જિલ્લા ભાજપમાં જૂથવાદ ફરી ચરમ સીમાએ…: સાંસદ કુંડારીયાએ કહેવત પરથી ‘ અમુક સ્વાન(કુતરા) ‘ શબ્દથી આકરાં ‘ ઘા ‘ કરતાં રાજકીય ગતિવિધિ તેજ.
વાંકાનેર શહેર ખાતે આજરોજ રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ અને વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહ ઝાલાના ભવ્ય સ્વાગત સાથે અભિવાદન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો અને ભાજપનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ બધા રાજકીય આગેવાનોની હાજરી વચ્ચે વાંકાનેરના સ્થાનિક ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની આ કાર્યક્રમમાં ગેર હાજરી તમામની આંખે ઉડીને વળગે તેવી દેખાઇ હતી, જેના કારણે મોરબી જિલ્લાના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે.
વાંકાનેર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ પ્રથમ હરોળના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હોય જે બધા વચ્ચે સ્થાનિક ધારાસભ્ય જીતુભાઇ સોમાણી અને તેમના જુથના બધા આગેવાનો કાર્યક્રમથી દુર રહેતા આ મુદ્દો મોરબી જિલ્લામાં ‘ ટોપ ઓફ ધ ટાઉન ‘ બની ગયો છે, જેમાં પણ સાંસદ કુંડારીયાની તીખી પ્રતિક્રિયા પણ નાગરિકોમાં હાલ ખુબ ચર્ચાઈ રહી છે.
આ સાથે જ વાંકાનેરના સ્ટેચ્યુ ચોક ખાતે યોજાયેલ જાહેર સભામાં સાસંદ મોહનભાઈ કુંડારીયા દ્વારા સ્ટેજ પરથી એક કહેવતના માધ્યમથી ‘ અમુક સ્વાન(કુતરા) ‘ શબ્દ પરથી કોઈ આગેવાનોના નામ લીધા વગર તીખી પ્રતિક્રિયા આપતા મોરબી જિલ્લાનું રાજકારણ ફરી ગરમાયું છે.
મોરબી શહેરમાં આવેલ સબજેલથી લિલાપર ચોકડી સુધીનો રોડ બિસ્માર હાલતમાં હોય જે રોડનુ તાત્કાલિક કામ શરૂ કરવા શ્રી રાજપૂત કરણી સેના મોરબી તાલુકાના પ્રમુખ રવિરાજ સિંહ જાડેજાએ મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજુઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબીના લીલાપર રોડ તરીકે ઓળખાતો સબજેલ થી લીલાપર ચોકડી સુધીનો રોડ...
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાનો રજાના દિવસોમાં શૈક્ષણિક પ્રવાસ
મોરબી, અત્રેની પીએમશ્રી માધાપરવાડી અનેકવિધ શૈક્ષણિક,સામાજિક, સહભ્યાસીક પ્રવૃત્તિઓ માટે ખુબજ જાણીતી છે,ત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં આવતા ઐતિહાસિક સ્થળોની જાણકારી પ્રત્યક્ષ રીતે પ્રાપ્ત કરે એ માટે તેમજ વિદ્યાર્થીઓ સાંભળેલું ભૂલી જતા હોય છે પણ નજરે જોયેલું, જાણેલું ક્યારેય ભૂલતાં નથી એવા હેતુ સાથે...
મોરબી તથા જામનગર જિલ્લાના અલગ અલગ ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને દ્વારકા જિલ્લા ખાતે મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ટાફની ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ટાફને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી જીલ્લાના તથા જામનગર જીલ્લાના અલગ અલગ ત્રણ ઘરફોડ ચોરીના...