મોરબી : કાલથી તલાટી કમ મંત્રીઓની અચોક્કસ મુદતની હડતાલ
પડતર પ્રસ્નોના ઉકેલ પ્રત્યે સરકારે હકારાત્મક અભિગમ ન દાખવતા સંગઠન હડતાલ માટે મક્કમ ગુજરાતના 8500 તલાટીઓના હળતાલમાં જોડાવાથી 18 હજારથી વધુ ગામોનો વહીવટ ખોરવાશે ત્યારે મોરબી જિલ્લાના 225 તલાટીઓ કાલથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે
વર્ષોથી તલાટી મંત્રીઓના અનેક પ્રશ્નો અણઉકેલ છે. વર્ષ 2018થી તલાટી કમ મંત્રી મહામંડળના નેજા હેઠળ તલાટીઓ પોતાના હક્ક માટે લડત ચલાવી રહ્યા છે. જેમાં સરકારમાં અનેક વખત રજુઆત અને આંદોલન પણ કર્યું હતું. તેમ છતાં સરકારે મચક ન આપતા હવે તલાટીઓની ધીરજ ખૂટી છે અને મોરબી જિલ્લાના તલાટીઓ આવતીકાલ તા.2 ઓગસ્ટથી મુદતની હડતાલ ઉપર ઉતરશે તેવી જાહેરાત કરી છે. તલાટીઓ હર ઘર તિરંગા અભિયાન અને ડિઝાસ્ટરને લગતી કામગીરી કરશે