મોરબી : સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપા ની 226 મી જન્મજયંતિ નિમિતે આગામી તારીખ 29 ઓક્ટોબર ને બુધવાર ના રોજ મોરબી માં ભવ્યાતિભવ્ય શ્રી જલારામ બાપા ની શોભાયાત્રા તેમજ દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શોભાયાત્રા ને લઇ ને મોરબી ના રઘુવંશી પરિવારો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ આયોજન ને નિખારવા માટે જ્ઞાતિબંધુઓ ની સાથે ચર્ચા ગોષ્ટીરૂપે મોરબી રઘુવંશી સમાજ ની મહત્વ ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ મિટિંગ તારીખ 14મી ઓક્ટોબર ને મંગળવાર ના રાત્રે 9-30 કલાકે મોરબી ના લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજાશે. આ મિટિંગ માં લોહાણા સમાજ ની તમામ સંસ્થાઓ, તમામ હોદેદારો, મહિલા સંગઠનો, સમાજ શ્રેષ્ટીઓ, વેપારી મિત્રો તેમજ કમિટી મેમ્બર્સ બહોળી સંખ્યામાં સમયસર ઉપસ્થિત રહેવા શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ એ આમંત્રણ પાઠવ્યું છે.
બાંધકામ સાઇટ પર પ્રદુષણ નિયંત્રણના નિયમોના ભંગ બદલ અંદાજે કુલ રૂ.૧૫,૮૦૦નો દંડ વસૂલાયો
રાજ્ય સરકારના માર્ગદર્શન અને સુચનાનુસાર મોરબી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરમાં ચાલતી તમામ બાંધકામ સાઈટોની ગત અઠવાડિયે ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ ચકાસણીનો મુખ્ય હેતુ બાંધકામ દરમ્યાન થતું હવાઈ પ્રદુષણ નિયંત્રણમાં રાખવો, નાગરિકોના આરોગ્યની સુરક્ષા...
નવયુગ કોલેજમાં ગીતા જયંતી અને વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે વિવિધ વિભાગો દ્વારા સંયુક્ત રીતે ઉપયોગી, માર્ગદર્શક અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો યોજવામાં આવ્યા.
BCA વિભાગ દ્વારા ગીતા જયંતી ઉજવણી નવયુગ કોલેજના BCA વિભાગ દ્વારા ગીતા જયંતી નિમિત્તે સકારાત્મક અને આધ્યાત્મિક વાતાવરણમાં ગીતા જયંતી ઉજવાઈ. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને...
એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 અભયમા મહિલા હેલ્પલાઇન મા ફોન કરી જણાવેલ કે મોરબી સી.ટી વિસ્તારમાં એક પીડિત મહિલા એકલા રસ્તા પર બેઠા છે તકલીફમાં દેખાય છે અને કાંઈ બોલતા નથી તેમની મદદ માટે 181 ની જરૂર છે.
જેને પગલે 181ના કાઉન્સેલર પટેલ સેજલબેન મહિલા પો.કોન્સ્ટેબલ શારદાબેન પાયલોટ રસિકભાઈ ઘટના...