મોરબી: મોરબીમાં ઘણા લાંબા સમયથી પીઆઈની બદલીઓ થતાં જગ્યાઓ ખાલી પડી હતી. જેમાં આજે મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા ત્રણ પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે.
મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી શહેર એ ડિવિઝનનાં સ્ટ્રીટ પીઆઈની છબી ધરાવતા પીઆઈ એમ પી પંડ્યાને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે. જેમાં એ ડિવિઝનમાં નવા પીઆઈ તરીકે એચ. એ.જાડેજા ની નિમણુક કરવામા આવી છે તે ઉપરાંત લીવ રિઝર્વ અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચાર્જમાં રહેલા કે. એ.વાળાને કાયમી કરી મોરબી તાલુકા પીઆઈ તરીકે નિમણુક કરવામાં આવી છે. જ્યારે લીવ રિઝર્વમાં રહેલા ત્રણ પીએસઆઈની પણ આંતરીક બદલીઓ કરવામાં આવી છે જેમાં લીવ રિઝર્વ અને ટંકારા ચાર્જમાં રહેલા એચ.આર.હેરભા ને ટંકારા,સી.એમ.કરકર ને રીડર પીએસઆઈ અને એમ.જે.ધાંધલ ને હળવદ પોલીસ સ્ટેશનમાં નિમણુક આપવામાં આવી છે.
મોરબીમાં મધુરમ ફાઉન્ડેશન, તથા ભારત વિકાસ પરિષદ મોરબી શાખા તેમજ ગાયત્રી કેન્દ્ર મોરબી દ્વારા આગામી તારીખ ૦૩/૦૯/૨૦૨૫ ને બુધવારના રોજ સાંજના ૦૪:૦૦ થી ૦૭:૦૦ કલાકે સંસ્કાર બ્લડ બેન્ક શનાળા રોડ નવા બસ સ્ટોપ પાસે, જીઆઇડીસી મોરબી ખાતે " આયુર્વેદનો જીવેમ: શરદ: શતમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નિઃશુલ્ક...
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા ભારત ભરની 5 લાખ શાળાઓની સાથે સાથે ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં "આપણી શાળા- આપણું સ્વાભિમાન" નો સંકલ્પ લેવાની અનોખી અને ઉત્તમ પહેલ કરવામાં આવેલ છે, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે શાળા તીર્થભૂમિ બને એ માટે સંકલ્પ લેવામાં આવ્યો.
આ સંકલ્પ માત્ર શબ્દો પૂરતો...
મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે કેરાળા હરીપર નદીના પટમાં બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે જે ખનીજ ચોરી બંધ કરવા કેરાળા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મોરબી ખાણ ખનીજ વિભાગને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યું હતું કે મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામમા ખનીજ માફિયાઓ દ્વારા કેરાળા હરીપર...