મોરબી : મોરબીમાં લીલાપર ચોકડી પાસે કાર્યરત એક કારખાનામાં આગ લાગી હતી. જો કે ફાયર વિભાગે તુરંત પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લીધો હોય, મોટું નુકસાન કે જાનહાની સર્જાઈ ન હતી.
મળતી માહિતી મુજબ આજરોજ રાત્રે 08:43 કલાકે ફાયરકંટ્રોલ રૂમ પર કોલ મળેલ કે લીલાપર ચોકડી પાસે મેગા ઇન્ડસ્ટ્રીઝ અચાનક આગ લાગી છે. જેથી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસના જવાનો તુરંત ઘટના સ્થળે દોડી ગયા. ત્યાં જઈ ચેક કરતા કલરમાં વપરાતા થીનર ભરેલા ડ્રમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ફાયર વિભાગના જવાનોને આગ પર કાબુ મેળબી વધારે નુકસાન થતું અટકાવ્યું હતું. આ બનાવમાં કોઈ જાનહાની પણ થયેલ નથી
ગત વર્ષે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્થાપના ના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જયુબિલી ની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી એમાં ભૂતપૂર્વ સ્ટાફ અને ભૂતપૂર્વક સ્ટુડન્ટસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાને વિચાર આવ્યો કે સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વર્તમાન વાલીઓને પણ આપણે એક સાથે બોલાવીએ...
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ 2025 થી 23 ડિસેમ્બર 2025 સુધી 2025 પશુ પકડેલ છે. વિવિધ વિસ્તારમાંથી રખડતા ઢૌર પકડીને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે.
તદુપરાંત પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 178 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે. 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપેલ...