રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં મોરબીની એમ.પી હાઈસ્કુલ ખાતે કૃષિ (પ્રાકૃતિક ખેતી)ને લગતા વ્યવસાયલક્ષી શિક્ષણનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ શાળાની વિદ્યાર્થીઓને જીવનમાં વૃક્ષનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આપણને પ્રાણવાયુ એવો ઓક્સિજન પૂરું પાડીને વૃક્ષો જીવનદાતાનું કામ કરે છે. ઉપરાંત શાળાના મેદાનમાં વનરાજી ઉભી કરવા બદલ શાળાના આચાર્યશ્રી તેમજ સ્ટાફ ગણને મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા તેમજ શાળામાં કૃષિ (પ્રાકૃતિક ખેતી) અંગે વ્યવસાયલક્ષી શિક્ષણનો પ્રોજેક્ટ શરૂ કરવા બદલ પણ શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે મંત્રીએ હાઈસ્કુલના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.
આ તકે મંત્રી સાથે મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, આર.એફ.ઓ. જયદીપસિંહ જાડેજા, અગ્રણી અરવિંદભાઈ વાંસદડીયા તેમજ શાળાના આચાર્ય સહિત સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા, સંગઠનને મજબૂત બનાવવામાં અને સમાજની એકતા વધુ ગાઢ કરવા એ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.
આ કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, ભાઇઓ, વિવિધ મંડળો તથા સંગઠનોના હોદેદારો એકત્ર થઈને સમાજના સર્વાંગી વિકાસ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરાશે. ખાસ કરીને સમાજમાં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ માટેના ઉપાય, બોડીંગ ખાતે ચાલી રહેલી...
બિલાસપુર થી પત્રકાર સુરક્ષા કાનૂન માટેના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત કરવામાં આવી
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું સાતમું રાષ્ટ્રીય અધિવેશન સંપન્ન : વીસ થી વધુ રાજ્યોના 800 જેટલા પત્રકારોની ઉપસ્થિતિ
ગાંધીનગર : દેશનાં સૌથી મોટા રજિસ્ટર્ડ પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું છતીસગઢ ની ન્યાયધાની બિલાસપુર માં સાતમું રાષ્ટ્રીય...