મોરબી મચ્છુ જળ હોનારત દિન નિમિતે મૌન રેલી નીકળશે
મોરબી મચ્છુ જળ હોનારત દિન નિમિતે તારીખ ૧૧/૦૮/૨૦૨૩ના રોજ “મચ્છુ જળ હોનારત દિન” હોય તે નિમિતે મોરબી નગરપાલિકા દ્વારા બપોરે ૦૩:૧૫ કલાકે નગરપાલિકા કચેરીથી મૌનરેલી નીકળી મૃતાત્માઓના સ્મૃતી સ્તંભ મણી મંદિર ખાતે બપોરે ૦૩:૩૦ કલાકે પહોંચશે અને ત્યા દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે કાર્યક્રમ યોજેલ છે.
જેમાં નગરપાલિકા દ્વારા તથા મહાનુભાવો દ્વારા પુષ્પાંજલી અર્પણ કરી બે મીનીટનું મૌન પાળવામાં આવશે. તો મોરબીની જાહેર જનતાને આ કાર્યક્રમમાં હાજર રહેવા માટેની મોરબી નગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવી છે