Wednesday, June 11, 2025

મોરબી મચ્છુ નદીના પટમાં BAPS મંદિર દ્વારા બનાવવામાં આવેલ દિવાલ તોડી પાડવા સામાજિક કાર્યકરોની માંગ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ સંસ્થા અંતર્ગત BAPS મંદિરના સંચાલકો દ્વારા મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર દબાણ કરી દિવાલ બનાવી દેવામાં આવી છે જેના કારણે ચોમાસામાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ છે ત્યારે આ મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલ દીવાલ તોડી પાડી દબાણ દૂર કરવા મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તથા જીલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશ્નર અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિત રજૂઆત કરી દિવાલ તોડી પાડવા માંગ કરી છે.

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરશભાઇ છબીલભાઈ કોટેચાએ રાજ્યના મુખ્યમંત્રી તથા મોરબી જીલ્લા કલેકટર તથા મ્યુનિસિપલ કમિશ્નર અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ સંસ્થા અંતર્ગત આવતું BAPS મંદિરના સંચાલકો દ્રારા મચ્છુ નદીના પાણીને અવરોધ બને એવી રીતે આશરે ૩૦ ફુટ ઉંચી આડી દિવાલ બાંધવામાં આવેલ છે. જેના કારણે મોરબીના નીચાણ વાળા વિસ્તારોમાં જેવા કે ખોખાણી શેરી, ખત્રીવાસ શેરી, વણકરવાસ, ભરવાડ વાસ, બોરીચા વાસ, વજેપર જેવા વિસ્તારોમાં વરસાદ નું પાણી ભરાવાનું જોખમ રહેલું છે અને પૂરની સ્થિતિ થાય તેવી સંભાવના રહેલી છે.

આ મંદિર દ્વારા જે દિવાલ બનાવવામાં આવી તે તદન ગેરકાયદેસર છે અગાઉ કલેકટર દ્વારા હુકમ કરી દિવાલ તોડી પાડવા હુકમ કર્યો હતો પરંતુ દિવાલ તોડવાનું નાટક કરી બાદમાં દિવાલ તોડવાનું અટકાવી દેતા દિવાલ જેમની તેમ ઉભી છે.

મોરબીમાં મહાનગરપાલીકા દરેક વસ્તુમાં નીતિ નિયમોથી ચાલે છે કોઈને પોતાની દુકાનની બહાર નાનું પગથયું પણ હદ વિસ્તાર થી બહાર કાઢેલું હોય તો તે પણ તોડી પાડવામાં આવે છે તો એવામાં પ્રશ્નો એ ઉભો થાય કે મચ્છુ નદીની વચ્ચોવચ બનેલી આ દિવાલ શું મહાનગરપાલિકાને દેખાતી નથી ? શું આ નિયમ વિરુધ્ધમા નથી? અને શું આ કમીશ્નરને ધ્યાનમાં નથી આવતું આમા કાંઈ પણ દુર્ગઘટના બનશે તો તેની જવાબદારી કમીશ્નર, કલેકટર તથા ધારાસભ્યની રહેશે. તો શું આ ગેરકાયદેસર નથી? બિલકુલ આ એક ગેરકાયદેસર બાંધકામ અને ભોયરા પણ બનાવેલા છે અહીયા ફકત મંદીર માટે જ પરવાનગી આપવામાં આવેલ હતી.

પરંતુ ગેરકાયદેસર દબાણ કરેલ છે. અને અહીંયા મંજુરી વગર ચાર માળનું મોટુ બીલ્ડીંગ બનાવી નાખેલ છે. સ્વામિનારાયણ અનેક ગેરકાયદેસર બિલ્ડીંગ અને બાંધકામો કરેલા છે તેમજ બિલ્ડીગની નીચે ગેરકાયદેસર રીતે ભોંયરા બનાવેલા છે આ શા માટે કરવામાં આવેલું છે તેની તપાસ કરવામાં આવે અને મોરબીમાં ફરીવાર આ ગેરકાયદેસર દિવાલના કારણે ૧૯૭૯ જેવી મોટી પૂર હોનારત સર્જાય નહી તે માટે આગોતરું આયોજન કરવામાં આવે અને તાત્કાલિકના ધોરણે આ દિવાલ તોડી પાડવા સામાજિક કાર્યકરોએ માંગ કરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર