મોરબી:વિદ્યાર્થીઓ વિજ્ઞાનના સિદ્ધાંતોને જાણે સમજે અને રોજ બરોજના જીવનમાં વિજ્ઞાનનો વિનિયોગ કરતા થાય વિજ્ઞાનના સિદ્ધાંતોને આધારે સ્વનિર્મિત સાધનો બનાવતા થાય શીખેલું ભણેલું વધુ દ્રઢ થાય એ માટે અત્રેની માધાપરવાડી કુમાર શાળામાં વિજ્ઞાન-ગણિત પ્રદર્શનનું અદકેરું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા જાતે તૈયાર કરેલી કુલ 25 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં બિન પરંપરાગત વિધુત સ્ત્રોતથી માનવજીવન અને પર્યાવરણનું રક્ષણ, 3D હોલોગ્રામ,ગ્લોબલ વોર્મિંગ આધારિત,હવાના દબાણ, જળ વ્યવસ્થાપન, ચકડોળ જેવી કૃતિઓ વૈજ્ઞાનિક સિદ્ધાંત સહીત રજુ કરવામાં આવી હતી. માધાપરવાડી કુમાર અને કન્યા બન્ને શાળાના દરેક વિદ્યાર્થીઓએ કૃતિઓ નિહાળીને રસપ્રદ રીતે વૈજ્ઞાનિક સિદ્ધાંતોની માહિતી મેળવી હતી.
આ બધી કૃતિઓને તૈયાર કરવા માટે શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષકો પ્રફુલભાઈ સાણંદિયા અને અનિલભાઈ સરસાવાડીયાએ બાળકોને માર્ગદર્શન આપ્યું હતું શાળાના આચાર્ય તુષારભાઈ બોપલિયા અને સમગ્ર સ્ટાફે કૃતિઓનું નિરીક્ષણ કરીને બાળકોને પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડી હતી.એમ સંદીપભાઈ લોરીયા તાલુકા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની યાદીમાં જણાવાયું છે.
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં વધુ સાત આરોપીઓ હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ કવાડીયા ગામની સીમમાં થયેલ કોપર કેબલ ચોરીના ગુનાના પકડવાના બાકી રહેલ આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન વધુ સાત આરોપીઓ પ્રતાપભાઇ ઉર્ફે પી.ડી. દાનુભાઇ...
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર...
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...