માધાપરવાડી કન્યા શાળામાં ધો.પાંચમાની 42 બેતાલીસ અને કુમાર શાળામાં 40 એમ કુલ 82 વિદ્યાર્થીઓને વેકસીન આપી ભવિષ્યમાં થનારા રોગો માટે સુરક્ષિત કરાયા.
સરકારના બાળ આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા બાળકોની સુખાકારી માટે, બાળકોની તંદુરસ્તી માટે અનેકવિધ વેકસીન આપવામાં આવે છે એ અન્વયે હાલ અગિયાર વર્ષની ઉંમરના એટલે કે ધોરણ પાંચમાં અભ્યાસ કરતા બાળકોને ડિફથેરિયા અને ધનુરની વેકસીન મુકવામાં આવે છે. જેથી બાળકોને ભવિષ્યમાં થનારા રોગોથી સુરક્ષિત કરી શકાય એટલા માટે અત્રેની માધાપરવાડી કન્યા અને કુમાર શાળામાં ધોરણ પાંચમા અભ્યાસ કરતી 42 બેતાલીસ કન્યા અને 40 કુમાર એમ કુલ 82 બાળકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફત વેકસીન આપવામાં આવેલ છે.
મોરબી: બોધિસત્વ ટ્રસ્ટ જામનગર દ્વારા જામનગર દેવ ભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લા ખાતે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં લાઇબ્રેરી, કોમ્પ્યુટર ક્લાસ, મેડિકલ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષાના ફ્રી વર્ગો, શૈક્ષણિક સહાય જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેના અનુસંધાને હાલ સંસ્થા દ્વારા મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકાનાં ધોરણ 10માં અભ્યાસ...
સરકારના વર્ષ ૨૦૧૮ નો ગુજરાત જમીન વિકાસ બોર્ડ નો મેનેજિંગ ડિરેક્ટર અને હજારો કરોડનો કૌભાંડી અને મોરબી જમીન કૌભાંડનો આરોપી કનૈયાલાલ દેત્રોજા મોરબી-વડોદરા પોલીસ ની મીલી ભગત થી 90 દિવસે હાથમાં આવેલો આરોપી પોલીસ પકડ માંથી ભાગ્યો કે ભગાડ્યો..?
કનૈયાલાલ દેત્રોજા ઉપર ગુજરાત ACB અને ED એ ભ્રષ્ટાચાર માં વર્ષ...
મોરબી શહેરમાં વ્યાજખોરો ગમે તે કરી શકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી હદે કથળી ગઈ છે કે જાણે મોરબીમાં પોલીસ જ ન હોય ત્યારે મોરબીના રોહિદાસપરામા રહેતા યુવકે આરોપી પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય અને દર માસે વ્યાજની ચુકવણી કરતા હોય પરંતુ છેલ્લા છ-સાત માસથી વ્યાજના પૈસા ન ચૂકવી...