મોરબી: મોરબી – હળવદ હાઈવેમાં મહેન્દ્રનગર ચોકડીથી માંડલ ગામ સુધીનો રોડ તાત્કાલિક રીપેર કરવા મોરબી તાલુકા કોંગ્રેસના યુવા પ્રમુખ મિલન સોરીયાએ માર્ગ અને મકાન વિભાગ મોરબીને લેખીત રજુઆત કરી માંગ કરી છે.
મોરબી તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ મિલન ડી. સોરીયા દ્વારા માર્ગ અને મકાન વિભાગ મોરબીને લેખીત રજુઆત કરી જણાવ્યું હતું કે તાજેતરમાં મોરબી જીલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે રોડ- રસ્તાઓની પરિસ્થિતિ ખુબ જ કથળી ગયેલ છે. ખાસ કરીને મોરબી-હળવદ હાઈવે ઉપર મહેન્દ્રનગર ચોકડી થી માંડલ ગામ સુધીના રોડની પરસ્થિતિ ખુબ જ ખરાબ થઈ ગયેલ છે. જેના કારણે વાહન ચાલકો, મુસાફરો, દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ રસ્તામાં ખાડા પડી જવાના કારણે વાહનોને ભારે નુકશાન થાય છે તેમજ ટ્રાફીકની સમસ્યામાં પણ વધારો થઈ ગયો છે. જેના કારણે અકસ્માત થવોનો પણ ભય છે. જેથી તાત્કાલીક મહેન્દ્રનગર ચોકડીથી માંડલ ગામ સુધીનો રોડ રીપેર કરી આપવા માંગ કરવામાં આવી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...