મોરબી: મોરબી – હળવદ હાઈવેમાં મહેન્દ્રનગર ચોકડીથી માંડલ ગામ સુધીનો રોડ તાત્કાલિક રીપેર કરવા મોરબી તાલુકા કોંગ્રેસના યુવા પ્રમુખ મિલન સોરીયાએ માર્ગ અને મકાન વિભાગ મોરબીને લેખીત રજુઆત કરી માંગ કરી છે.
મોરબી તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ મિલન ડી. સોરીયા દ્વારા માર્ગ અને મકાન વિભાગ મોરબીને લેખીત રજુઆત કરી જણાવ્યું હતું કે તાજેતરમાં મોરબી જીલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે રોડ- રસ્તાઓની પરિસ્થિતિ ખુબ જ કથળી ગયેલ છે. ખાસ કરીને મોરબી-હળવદ હાઈવે ઉપર મહેન્દ્રનગર ચોકડી થી માંડલ ગામ સુધીના રોડની પરસ્થિતિ ખુબ જ ખરાબ થઈ ગયેલ છે. જેના કારણે વાહન ચાલકો, મુસાફરો, દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ રસ્તામાં ખાડા પડી જવાના કારણે વાહનોને ભારે નુકશાન થાય છે તેમજ ટ્રાફીકની સમસ્યામાં પણ વધારો થઈ ગયો છે. જેના કારણે અકસ્માત થવોનો પણ ભય છે. જેથી તાત્કાલીક મહેન્દ્રનગર ચોકડીથી માંડલ ગામ સુધીનો રોડ રીપેર કરી આપવા માંગ કરવામાં આવી છે.
મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (GDCR) - 2017 ના નિયમો અને જોગવાઈઓ અનુસાર, Person on Record (P.O.R.) તરીકે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ રજિસ્ટ્રેશનનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિકાસ અને બાંધકામ સંબંધિત પ્રવૃત્તિઓમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાનો છે. P.O.R. રજિસ્ટ્રેશન માટે અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત...
સુરજબારી ચેક પોસ્ટ પાસે, કચ્છ-મોરબી હાઇવે ઉપરથી સ્કોર્પીઓ એન ગાડીમાં ભરેલ IMFL ની બોટલો નંગ-૪૨૦ કી રૂ.૫,૫૦,૮૦૦/- તથા કાર મોબાઇલ ફોન મળી કુલ રૂ ૧૫,૫૮ ,૮૦૦ /- ના મુદામાલ સાથે પધ્ધર પોલીસ સ્ટેશન તથા પ્રાગપર પોલીસ સ્ટેશન તથા જામનગર એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં લાંબા સમય થી પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા...
મોરબી શહેરમાં આવેલ મચ્છુ -૦૩ માં જુના આરટીઓ ઓફિસ પાસે પુલ ઉપરથી અવારનવાર માણસો આપઘાત કરે છે ત્યારે આ પુલ પુલ પર જારી બાંધવા અથવા પતરા નાખવામાં આવે તેવી મોરબીના સમાજીક કાર્યકરોએ મહાનગરપાલિકાના કમિશ્નર અને કલેક્ટરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી મચ્છુ-૩ ડેમ પર અવાર - નવાર આપઘાતના...