મોરબી: મોરબી રવાપર રોડ માધવ ગૌશાળામાં ગાયોના દુધના હિસાબમાં ગોટાળા કરતા જેના કારણે રવાપર ગામ સમસ્ત નાગરિક તથા માધવ ગૌશાળા કમીટીએ આરોપીને દુધ ભરવાનું બંધ કરેલ હોય જેનો ખાર રાખી આધેડને એક શખ્સે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.





