મોરબી: મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબીની સેવાયાત્રા નાની નાની ખુશીઓ ભેગી કરીને આગળ વધી રહી છે, જેનો ઉદ્દેશ્ય લોકોના ચહેરા પર સ્મિત લાવવાનો છે. આ પ્રયાસ અંતર્ગત મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ ફરી એકવખત બે સમૂહલગ્નમાં પોતાના ભંડોળમાંથી આર્થિક સહયોગ કરીને સમાજ માટે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યુ હતુ.
મોરબીમાં કાર્યરત વાત્સલ્યમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ સહ-આયોજક તરીકે ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં રૂ. 41,000નું અનુદાન આપ્યું હતું. આ દાનનો ઉપયોગ દીકરીઓને કપડાં આપવા માટે થયો હતો.
આ ઉપરાંત દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા આયોજિત 7 કન્યાઓના સમૂહ લગ્નમાં સંસ્થાએ કન્યાદાનમાં 7 દીકરીઓને 7 ઢોકળા સ્ટીમરો, 7 વેજીટેબલ ચોપર, 7 બેગ, 7 માછલી ( પગ માં પહેરવાની) 7 નાકના દાણા, 7 શુભ લાભ શો પીસ, 7 ફેસ ક્રીમ, 15 બ્લાઉઝ પીસ સહીતની ભેટ કરિયાવરમાં આપી હતી.
સંસ્થાના સભ્યોએ ઉત્સાહભેર બન્ને પ્રસંગોમાં હાજરી આપી હતી અને જણાવ્યુ હતુ કે, અમે આશા રાખીએ છીએ કે અમે ભવિષ્યમાં પણ આવા જ પ્રયાસો કરતા રહીશું જે લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદરૂપ થશે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...