મોરબી શહેરમાં ખાડા ટેકરા અને ધુળની ડમરીઓ ઉડાડતા રસ્તાઓમાથી ટુંક સમયમાં શહેરીજનોને મુક્તિ મળશે. મોરબી નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી મંજુર કરવામાં આવેલ વિવિધ 16 રોડ બનાવવાના કામનો આજથી પાલિકા દ્વારા શરુઆત કરવામાં આવશે. સાંજે બે સ્થળોએથી યોજાશે ખાતમુહૂર્ત કાર્યક્રમ.
મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં કુલ રૂ.૫.૮૦ કરોડના ખર્ચે કુલ ૧૬ રોડ મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ ચોમાસામાં ભારે વરસાદના કારણે રોડનુ ખાતમુહૂર્ત થય શક્યું નહીં અને રોડના કામ શરૂ થઈ શક્યા નહીં. હવે આજથી રોડનું કામ શરું કરવામાં આવશે જેમાં શહેરમાં ૬ જુદીજુદી જગ્યાએ સી.સી.રોડના કામ અને દશ જુદીજુદી જગ્યાએ ડામર રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આજે સાંજે 5 કલાકે આલાપ પાર્ક પાસે કાર્યક્રમ યોજાશે. જેમાં રૂ.3.25 કરોડના ખર્ચે 6 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જ્યારે રાત્રે 8 કલાકે નહેરુ ગેટ ખાતે કાર્યક્રમ યોજાશે. જેમાં રૂ.2.56 કરોડના ખર્ચે 10 કામોનું ખાતમુહૂર્ત થશે.
મોરબી જીલ્લાના માળીયા તાલુકાના વવણીયા ગામ ખાતે તારીખ:- ૧૦/૦૭/૨૦૨૫ ને ગુરુવારે ના રોજ અલ્હાઝ સૈયદી સરકાર પીરો મૂર્શીદ પીર ખલીલ અહમદ કાદરીઉલ જિલ્લાની કલંદરી શાબરી નિઝામી અશરફી 7-SARAKAR-7 (ર.અ.) નો ઉર્ષ મુબારક ઉજવાશે
આ ઉર્ષ મુબારક માં તારીખ:-૧૦/૦૭/૨૦૨૫ ને ગુરૂવાર ના રોજ સવારે ૯:૦૦ કલાકે વવણીયા ગામ ખાતે શાનદાર જુલસ...
ભાજપના આગેવાન અને કોંગ્રેસના ચાલું તાલુકા સદસ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા
આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા ના વાંકાનેર વિધાનસભા રૂપાવટી ગામે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી ની આગેવાની હેઠળ એક સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોળી સમાજ અગ્રણી અને ભાજપ ના આગેવાન રણછોડભાઈ થુલેટિયા અને...