મોરબી: ગત તા. ૦૫-૧૧-૨૦૨૩ ને રવિવારના રોજ પરશુરામ ધામ ખાતે રામચરિત માનસ સિદ્ધાંત આધારિત એક દિવસીય આધ્યાત્મિક વિકાસ શિબિર યોજાઈ હતી.
આ શિબિર સ્વર્ગીય સરોજબેન ભુપતભાઈ પંડ્યા તથા સ્વ ભાનુમતિબેન કે ભટ્ટ ના સ્મરણાર્થે પરશુરામ ધામ ટ્રસ્ટ તથા બ્રહ્મ આગેવાન યુવાનો તથા મહિલાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જે શિબિરના મુખ્ય વક્તા ડોક્ટર ગોપાલ શાસ્ત્રીજી હતા જે શિબિરનો મુખ્ય ઉદ્દેશ નવી ભોજન પ્રથાથી દવા વિના રોગમુક્તિ નહોતો આ શિબિર સવારના આઠ કલાકે શરૂ કરવામાં આવી હતી અને બપોરે 3:30 કલાકે પૂર્ણ કરવામાં આવી હતી આ શિબિરમાં બપોરના સમયે પ્રાકૃતિક ભોજન પીરસવામાં આવ્યું હતું અને અલગ અલગ જ્યુસ પણ પીરસવામાં આવ્યા હતા.
આ શિબિરનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ભોજન લેવાથી દવા વગર શરીરમાં એક કે બે મહિનામાં કોઈ પણ પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે આવું ગોપાલ શાસ્ત્રી જી દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ શિબિરમાં 130થી વધારે લોકોએ ભાગ લીધેલ હતો આ શિબિરને સફળ બનાવવા માટે પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા અનિલભાઈ મહેતા રાજેન્દ્રભાઈ ભટ્ટ યુવક મંડળ ટ્રસ્ટના પ્રૂમુખ નરેન્દ્રભાઈ મહેતા કિશનભાઇ ઉપાધ્યાય પરશુરામ યુવા ગ્રુપ પ્રમુખ અતુલ ભાઈ જોશી હરેશભાઈ જાની સુરેશભાઈ જોશી જીતુભાઈ ભટ્ટ જિલ્લા બ્રહ્મ સમાજ મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ નિરજભાઈ ભટ્ટ તેમજ મુકેશભાઈ જાની મુકેશભાઈ રાજગોર રાજુભાઈ ત્રિવેદી ધ્યાનેશ ભાઈ રાવલ જિલ્લા બ્રહ્મસમાજ મહિલા મંડળના પ્રમુખ કિરણ બે ઠાકર નીલા બેન પંડિતોતેમજ બ્રહ્મ આગેવાનોએ જેહમત ઉઠાવી હતી.
હળવદ BRC ભવન ખાતે યોજાયેલા જિલ્લા કક્ષા કલા ઉત્સવ–2025 માં નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પોતાની અનોખી પ્રતિભા અને આત્મવિશ્વાસથી સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું. ગાયન, વાદન, ચિત્રકલા અને કાવ્યરચના જેવી સ્પર્ધાઓમાં નવયુગના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી Top-3માં સ્થાન મેળવી શાળાની કલાત્મક પરંપરાને નવી ઊંચાઈ આપી હતી.
ખાસ કરીને ભીમાણી પ્રિશા...
મોરબીમાં ગુજરાત રાજ્યની પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ વાનગીઓની થીમ સાથે કુકિંગ કોમ્પિટિશન યોજાઈ
પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા મોરબી ખાતે પીએમ પોષણ યોજના અંતર્ગત વિવિધ વાનગીઓ બનાવી સ્પર્ધા યોજાઈ
મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય?વધુમાં...