Thursday, May 9, 2024

મોરબી પાટીદાર સમાજના આગેવાનો દ્વારા કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરીયાદ નોંધવા અને સખ્ત કાર્યવાહી કરવા માંગ કરાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: થોડા દિવસ પહેલા સુરત ખાતે એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની નામની મહિલા વક્તા દ્વારા મોરબી પાટીદાર સમાજની દિકરીઓ વિશે વાણી વિલાસ કરી અનાબ સનાબ બોલનારા કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ મોરબી પાટીદાર સમાજના આગેવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખીત રજુઆત કરી ફરીયાદ નોંધાવા અને સખ્ત કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગઈ તા. ૦૮/૦૬/૨૦૨૩ ના રોજ સુરત જીલ્લામાં ગાધકડા મિત્ર મંડળ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરેલ હતું જેમાં આયોજક દ્વારા કાજલ હિન્દુસ્તાની નામના મહિલા વકતાને આમંત્રીત કરેલ હોય અને આ કાજલ હિન્દુસ્તાનીનો ભાષણનો વિડિયો PARTH STUDIO & GRAPHICH નામની YOUTUBE ચેનલમા વાયરલ થયેલ હોય, જે વીડીયો મોબાઈલમાં આવતા પાટીદાર સમાજના આગેવાનોએ સાંભળેલ. હોય જેમા કાજલ હિન્દુસ્તાનીએ પોતાના ભાષણમાં મોરબી જીલ્લામાં કોલેજની પટેલ સમાજની સાત દિકરીઓ, સાતેય પટેલની દિકરીઓ જેઓએ મુસ્લીમ છોકરાઓને બોયફ્રેન્ડ બનાવેલ છે અને અંદરો અંદર બોયફ્રેન્ડ બદલે છે. ચાર દિવસ આના સાથે હું મજા કરી અને ચાર દિવસ આના સાથે તુ મજા કરજે અને અંદરો અંદર બોયફ્રેન્ડ સ્વેપીંગ ચાલે છે અને સાતેય મળીને મુસ્લીમ છોકરાને ચાલીસ લાખની ફોર વ્હીલર લઈને ગીફટ આપી દીધી. કેમ કે પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે અને માતા રીલ બનાવવામાં પોતાની મસ્તીમાં વ્યસ્ત છે અને ઘરની તીજોરીમાંથી લાખો રૂપિયા પૈડા છે. તેમાંથી પાંચ-પાંચ લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે? આ રીતે ૫૫ મીનીટ અને ૩૩ સેકન્ડનો વીડીયો છે.

જેમાં કાજલ હિન્દુસ્તાનીએ મોરબીમાં રહેતા પટેલ સમાજની સાત દિકરીઓ મુસ્લીમ છોકરાઓને બોયફ્રેન્ડ બનાવેલના ભાષણનો વીડીયો યુ-ટયુબ ચેનલના માધ્યમથી વાયરલ થયેલ હોય, જેથી મો૨બી રહેતા પટેલ સમાજના લોકોની લાગણી દુભાયેલ હોય, તેથી કાજલ હિન્દુસ્તાની પટેલ સમાજની દિકરીઓને બદનામ કરતા ઉશ્કેરણીજનક ભાષણ કરેલ જે બાબતે પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ખરાઈ કરેલ કે આવી કોઈ ઘટના મોરબીમાં બનેલ નથી. તેમજ આવી કોઈ ઘટના કોઈ માધ્યમ દ્વારા સામે આવેલ નથી. તેમ છતાં વક્તા કાજલ હિન્દુસ્તાની પોતાની વાહ-વાહી મેળવવા પોતાની ટી.આર.પી. તેમજ પબ્લીસીટી મેળવવા આવી મનઘડત વાતો દ્વારા ઉશ્કેરણીજનક ભાષણ કરતા હોય, જેથી મો૨બી પટેલ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

તેથી પાટીદાર સમાજના આગેવાનો દ્વારા સુરત મુકામે થયેલ સ્નેહમિલનના આયોજનમાં ભાષણ આપનાર કાજલ હિન્દુસ્તાની વિરૂધ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવા મોરબી તાલુકા પોલીસને લેખીત રજુઆત કરી માંગ કરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર