મોરબી: મોરબીમાં પીપળીયા ચાર રસ્તા નજીક અર્જુન એન્ટરપ્રાઈઝ કોલસાના ડેલાની બહાર રોડ પર ટ્રક ઉપર ત્રાલપત્રી ઢાકતા ટ્રક ઉપરથી નીચે પટકાતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ઉત્તરપ્રદેશના મીરજાપુર જીલ્લાના પહાડી ગામે રહેતા સુનીલકુમાર કમલપ્રસાદ દુબે ઉ.વ.૪૫ વાળો પીપળીયા ચાર રસ્તા પાસે આવેલા અર્જુન એન્ટરપ્રાઈઝ કોલસાના ડેલાની બહાર રોડ ઉપર ટ્રકમાં ત્રાલપત્રી ઢાકતા ટ્રક ઉપરથી નીચે પડી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી મહાનગરપાલિકા ની ફુડ શાખા દ્વારા શહેરના મીઠાઈ ફરસાણના વિક્રેતાઓ હોટલ- રેસ્ટોરન્ટ માં ખાદ્ય પદાર્થ નું નિરીક્ષણ કર્યું હતું, જે દરમિયાન લાયસન્સ સ્વચ્છતા સહિતની બાબતોની ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરમાં મીઠાઈ- ફરસાણાના ધંધાર્થી હોટલ રેસ્ટોરન્ટ સહિત 29 જગ્યા પર ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરે વિઝીટ કરી...
આજે મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે CGWB (Central Ground Water Board), WCR ના અમદાવાદ થી પધારેલા અધિકારીઓ ડૉ. રતિકાંત નાયક – પ્રાદેશિક નિયામક, બિસ્વરૂપ મહાપાત્ર – સાયન્ટિસ્ટ, સદ્દામ હુસૈન સાયન્ટિસ્ટ અને પ્રબોધ કુમાર કુશ્વાહા – STA ની ઉપસ્થિતિમાં જાગૃતિ કાર્યક્રમ તથા ઇન્ટરએક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું.
આ ઇન્ટરએક્ટિવ સેશનમાં સિરામિક...