મોરબી: શ્રી પ્રાયોગિક પ્રાથમિક શાળામાં SR ગ્રુપ અને પ્રાયોગિક પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ઇકો ક્લબ અંતર્ગત “પ્લાસ્ટિક મુક્ત અભિયાન”નું વ્યાખ્યાન યોજાયું હતું.
જેમાં SR ગ્રુપ તરફથી સંગીતાદીદીએ સરળ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં પ્રદૂષણથી થતા નુકશાન વિશે વાત કરવામાં આવી હતી તેમજ મહાનગરપાલિકા જ્યારે પ્લાસ્ટિક મુક્ત મોરબી માટે કાર્ય કરતી હોય ત્યારે શાળા અને SR ફાઉન્ડેશને કપડાની થેલી કે બાયોબેગના ઉપયોગ વિશે જાગૃતિ લાવવાનું કાર્ય કર્યું અને ચેતનભાઈએ પ્લાસ્ટિક અને બાયોબેગનો પ્રેકટીકલ ડેમો બતાવ્યો હતો. અંતમાં પ્રાયોગિક પ્રાથમિક શાળાના આચાર્ય મનનભાઈએ વિદ્યાર્થીઓને મોરબીને પ્લાસ્ટિક મુક્ત કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે તળાવની પાળ પાસે આવેલ ઇન્ડુસ કંપનીના મોબાઈલ ટાવરમાંથી ૪૮ બેટરી જેની હાલની કિંમત રૂપિયા ૨૫૦૦૦ ની મત્તાની બેટરીની ચોરી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના પેઢડા ગામે...
મૂળ મોરબી તાલુકા રાજપર ગામના નીવાસી પૂજ્ય શ્રી સુરેશ મહારાજ તારીખ ૧૯-૦૮-૨૦૨૫ ને મંગળવારના રોજ નર્મદા તીર્થ ક્ષેત્રે બ્રહ્મલીન થયેલ છે.
તેમના આત્મશ્રેયઅર્થે તારીખ ૨૧-૦૮-૨૦૨૫ ને ગુરુવારના રોજ બપોરે ૦૩ થી ૦૬ વાગ્યે રાજપર પટેલ સમાજ વાડી ખાતે પ્રાર્થના સભા રાખવામાં આવેલ છે.
...