સરકાર અને તંત્રનું સપનું અધૂરું રહેશે મહાનગરપાલિકાનો દરજ્જો મોરબીને ક્યારેય નહીં મળે તેવું ગ્રામજન ઈચ્છી રહ્યા હોય તેવું પ્રથમ દ્રષ્ટિ એ સાબિત થઈ રહ્યું છે.
મોરબીઃ રાજકીય આગેવાનો અધિકારીઓની મહેનત પર પાણી વળશે? મહાનગરપાલિકા ને ચોખી ના ગ્રામજનો તરફ થી મળી રહી છે ત્યારે ચૂંટણી ના વચનો આપીને રાજકીય આગેવાનો પણ મૂંઝાયા છે વિધાનસભા ની ચૂંટણી દરમિયાન શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકાનો દરજ્જો મળશે તેવી વાતો કરીને મત લીધા બાદ સરકારે તૈયારી દેખાડી પરંતુ હવે ગ્રામવિસ્તાર માં ચોખી ના પાડીને અમારે મહાનગરપાલિકા માં સમાવેશ થવું નથી તેવું કહી રહ્યા છે ત્યારે આજે રાજપર ગામે મળેલી ગ્રામસભામાં પણ મહાનગરપાલિકામાં ન ભળવા નિર્ણય આવ્યો છે
તો બીજી તરફ રાજકીય આગેવાન અને તંત્ર ની મહેનત પર પાણી ફરી વળશે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે ઘુંટુ અને રાજપર બાદ જોવું એ રહ્યું અન્ય ગ્રામજનો ગ્રામસભામાં શું નિર્ણ્ય આપે છે ?
