મોરબી: મોરબીના રોહીદાસપરામાં શેરીમાં એંઠવાડો નાખવા જેવી નજીવી બાબતે બે પક્ષ વચ્ચે છૂટા હાથે મારામારી થઈ હતી જેમાં બંને પક્ષો દ્વારા એક બીજા વિરુદ્ધ સામ સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં રોહીદાસપરા મેઈન રોડ બાલમંદિરની બાજુમાં રહેતા કેસુરભાઈ અમરાભાઇ સોલંકી (ઉ.વ.૬૨) એ આરોપી રવિભાઇ પરસોતમભાઇ ચૌહાણ, તુષાર દિપકભાઇ ચૌહાણ, પ્રથમ દિપકભાઇ ચૌહાણ, જીગુભાઇ હકાભાઇ ચૌહાણ, કિશોરભાઇ રમેશભાઇ ચૌહાણ, મયુર પરસોતમભાઇ ચૌહાણ, મીનાબેન પરસોતમભાઇ ચૌહાણ રહે બધા રહે રોહીદાસપરા,વિશીપરા મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૦-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ફરીયાદીના પત્ની શેરીમા એઠવાડો નાખવા જતા આરોપી મીનાબેન પરસોતમભાઇ ચૌહાણ નાઓને સારૂ નહી લાગતા ફરીયાદીના પત્ની સાથે બોલાચાલી કરી ઝઘડો કરી બિભત્સ ગાળો આપતા ફરીયાદી તથા સાહેદે ગાળો આપવાનીના પાડતા આરોપી મીનાબેન એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને સાહેદ સાથે ઝઘડો કરવા લાગતા જે ઝઘડા દરમ્યાન આરોપી મીનાબેનના કૌટુંબીક ભાઇઓ આરોપી રવિભાઇ પરસોતમભાઇ ચૌહાણ, તુષાર દિપકભાઇ ચૌહાણ, પ્રથમ દિપકભાઇ ચૌહાણ, જીગુભાઇ હકાભાઇ ચૌહાણ, કિશોરભાઇ રમેશભાઇ ચૌહાણ, મયુર પરસોતમભાઇ ચૌહાણના આવી લાકડાના ધોકા તથા એલ્યુમીનીયમની ચોરસ પટ્ટી તથા છુટા પથ્થરના ઘા મારી ફરીને માથાના ભાગે તથા સાહેદોને માર મારતા નાની મોટી ઇજાઓ પહોંચાડી હોવાની કેસુરભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જ્યારે સામે પક્ષે મોરબીના રોહીદાસપરા મેઈન રોડ વિસીપરામા રહેતા કાન્તાબેન પરસોત્તમભાઈ ચોહાણ (ઉ.વ.૫૦)એ આરોપી કેશુભાઇ ઉર્ફે કારુ અમરાભાઇ સોલંકી, સીધ્ધરાજભાઇ તુલસીભાઇ સોલંકી, વિનોદભાઇ અમરાભાઇ સોલંકી, મુકેશભાઇ વિનોદભાઇ સોલંકી, પુષ્પાબેન કેશુભાઇ સોલંકી, અભીલાસાબેન તુલસીભાઇ સોલંકી રહે.બધા રહે, રોહીદાસપરા મેઇન રોડ વીશીપરા મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૦-૧૦-૨૦૨૨ ના રોજ રાત્રીના સાળા નવ વાગ્યાના અરસામાં ફરીયાદીના મકાન પાસે આરોપી પુષ્પાબેન એઠવાળ નાખતા ફરીયાદીએ એઠવાળ નાખવાની ના પાડતા આરોપીને સારુ ન લાગતા ફરીયાદી સાથે તેમજ ફરીયાદીના જેઠના દિકરો તથા ફરીયાદીની દિકરી સાથે બોલાચાલી કરી ઝગડો કરી બીભત્સ ગાળો આપી ફરીયાદીને તેમજ સાહેદને છુટા પથરના ઘા મારી તેમજ ઢીકા પાટુનો મારમારી આરોપીઓએ ગેરકાયદેશર મંડલી રચી આરોપી કેશુભાઈએ પાઇપ ધારણ કરતા તેમજ આરોપી મુકેશભાઈએ હાથમા તલવાર ઘારણ કરતા તેમજ અન્ય આરોપીઓએ છુટા પથર તેમજ ઇંટુના ઘા મારી ફરીયાદી તેમજ સાહેદોને મુંઢ ઇજા પહોંચાડી હોવાની કાન્તાબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
આ બનાવ અંગે બંને પક્ષે સામસામે ફરીયાદ નોંધાવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બંને પક્ષો વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ આગામી ૩-૪ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ જીએસટી કાઉન્સિલની ૫૬ મી બેઠક નવી દિલ્હી ખાતે યોજાશે. આ બેઠકમાં દિવાળી પહેલા ટેક્સ ઘટાડવાના નિર્ણયો લેવામાં આવશે તેમજ આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની અપેક્ષા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.
કાઉન્સિલની આ બેઠકમાં તહેવારો પહેલા ટેક્સ સ્લેબમાં...
મોરબીના જીવાપર (ચકમપર) થી પાવડીયારી કેનાલ રોડ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ રોડ પર પાણીના ટાંકા, માટીના ટ્રક, રેતીના ટ્રક ચલાવી ચલાવી ને રોડ તોડી નાખવામાં આવ્યો છે. જેના કારણે કારખાને જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ રોડ પર ચકમપર, દેવળીયા, ચરાડવા,...
મોરબીની ભૂમિ દિલેર દાતાઓની ભૂમિ છે, લોકો અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે તેમજ જરૃરિયાતમંદ લોકોને પોતાના રળેલા રૂપિયામાંથી દાન અર્પણ કરવા માટે જાણીતા છે.
ત્યારે મોરબીના લોકો પોતાની પરસેવાની કમાણી પર સેવા માટે વાપરવામાં જરાય પાછી પાની કરતા નથી ત્યારે અત્રેની બહાદુરગઢ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ ભૂલકાઓને" DHYANSH LAMINETS "(બહાદુરગઢ)...