મોરબીની શ્રી સરસ્વતી શીશુ મંદિર શાળામાં દિપાવલી પર્વ નિમિત્તે વાનગી અને લોકસાહિત્ય ગાયન પ્રતિયોગિતા યોજવામાં આવી હતી. જેમાં ધોરણ ૧થી૧૦ ના વાલીઓએ બંને પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો.
આ પ્રતિયોગિતામાં ૩૫ જેટલા ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. દુહા, છંદ, ભજન, લોકગીત, લગ્નગીત, વિદાય ગીત વગેરે પ્રસ્તુતિઓ વાલીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી હતી. બંને કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અંતે સમાપનમાં વાનગી પ્રતિયોગિતાના નિર્ણાયક ચેતનાબહેન લાલાણી, લોકસાહિત્ય ગાયન પ્રતિયોગિતાના નિર્ણાયક મેહુલ શેઠ, ભાવેશભાઈ જેતપરિયા, શીતલબેન સીતાપરા એ કાર્યક્રમને અનુરૂપ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
સુનિલભાઈ પરમારએ કાર્યક્રમને અનુરૂપ સમાપન સત્રમાં પ્રસ્તાવના આપી વાનગીની જે મીઠાશ હોય છે તેવી મીઠાશ આપણે પણ આપણામાં જીવનમાં લાવવી જોઈએ. વાનગીમાંથી આપણને આ એક ખુબ સરસ શીખવા મળે છે અને દિવાળી પર્વ વિશે સરસ વાતો કરી ત્યારબાદ બંને પ્રતિયોગિતાના પ્રતિભાઓમાંથી જે વાલી કે પ્રતિભાગી ઉત્તમ શ્રેણી પ્રાપ્ત કરેલ હતી. તેમને નિર્ણાયકો, અતિથિ વિશેષ ને વ્યવસ્થાપકો દ્વારા સ્મૃતિ ચિન્હનો, ભેટ, પ્રમાણપત્ર અને પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે ઉત્તમ શ્રેણી પ્રાપ્ત કરનારને પ્રમાણપત્ર અને પુસ્તક આપી સન્માનિત કર્યા તેમજ નિર્ણાયક ટીમને પણ વિદ્યાલયના આચાર્યના હસ્તે સ્મૃતિભેટ આપવામાં આવી હતી.
મોરબી: મોરબીમાં આજે બપોરે પીએમ એન્ટરપ્રાઈઝની ઓફિસમાંથી એક અજાણ્યા વ્યક્તિ ભૂલથી કારની ચાવી સાથે લઈ ગયેલ છે. તો આ વ્યક્તિને મો.નં. 97376 29276 ઉપર સંપર્ક કરવા રોનકભાઈ દેત્રોજા દ્વારા અપીલ કરવામાં આવી છે.
એલ.ઈ. કોલેજ, ઘુંટુ રોડ ખાતે સેમિનારમાં ઉપસ્થિત રહેવા આચાર્ય દ્વારા અનુરોધ કરાયો
એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ(ACPDC) અમદાવાદ દ્વારા નિયુક્ત નોડલ સંસ્થા, એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) મોરબી દ્વારા તા.૨૧/૦૫/૨૦૨૫ અને તારીખ ૨૬/૦૫/૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે એમ બે 'કારકીર્દી માર્ગદર્શન સેમિનાર'નું આયોજન મોરબી ITI કેમ્પસની બાજુમા, મહેન્દ્રનગર પાણીની ટાંકી સામે,...