મોરબી તાલુકાની ઝીકિયાળી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં પ્રકાશભાઈ કુબાવત બાળ સાહિત્યકાર છે. તેમના બે પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યા છે. બંને પુસ્તકને પારિતોષિક મળેલ છે. પ્રથમ પુસ્તક ‘બાળપરીની વ્યથા ‘ ને બાળ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલ છે જ્યારે બીજા પુસ્તક ‘પરીરાણીના દેશમાં’ને અંજુ-નરસી વિશિષ્ટ સન્માન-૨૦૨૩ ઘોષિત થયું.
ત્રીજા પુસ્તક ‘પંખીને પાંખો મળી’નું વિમોચન કાયવરણ ખાતે કરવામાં આવ્યું. વિમોચન પ્રવીણભાઈ ઠક્કર,યોગેશભાઈ ગઢવી,ગૌરવભાઈ ભટ્ટ, સતિષભાઈ વગેરેને હસ્તે સંપન્ન થયું. આ કાર્યક્રમમાં બીજા સાત પુસ્તકોનું પણ વિમોચન થયું.આ સ્નેહમિલનમાં એકાવન જેટલા કવિઓએ પોતાની કવિતાનું પઠન કર્યું.
મોરબી: શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત બાલસભા, પર્યાવરણ જાગૃતિ માટે રેલી તથા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ.
જેમાં બાલવાટિકા તથા ધો. 1 થી 8 સુધીના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો તેમાં પ્રથમ શાળાનાં શિક્ષક ચિકાણી રમણિકલાલ દ્વારા બાળકોને વિવિધ...
મોરબી જીલ્લાના એક દર્દી જેમની ઉમ્ર 55 વર્ષ છે જેમને બેભાન હાલત માં આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી માં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉ. ઉત્તમ પેઢડીયા સાહેબ કે જે જનરલ ફીઝાશિયન તેમજ ક્રીટીકલ સ્પેશિયાલિસ્ટ છે. તેમને દર્દી ની તપાસ કરતા તેમજ દર્દી ના સગા ને દર્દી ની જાણકારી પુછતા જણાયું...
મોરબીના પંચાસર રોડ પર આવેલ રાજનગર સોસાયટી ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા આજે રવિવારના રોજ શ્રી હરસિધ્ધ હનુમાનજી મંદિર ખાતે ૧૭૦૦ જેટલા અલગ અલગ ફુલ, ફળ અને છોડ નું વિતરણ કરાયું હતું.
જેમાં ૯૫૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. સવારે ૮:૩૦ થી રોપા લેવા માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા...