સમગ્ર મોરબી જિલ્લામાં ૫૪ સ્થળો પર કાર્યક્રમમો યોજાયા
સમગ્ર રાજ્યમાં ગુજરાતની ધરા પર બે દાયકામાં થયેલ વિકાસ કામોની ઝાંખી કરાવતી રાજ્ય વ્યાપી વંદે ગુજરાત વિકાસયાત્રાનું આયોજન પાંચ થી ૨૨ જૂન દરમિયાન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મોરબી જિલ્લામાં બે વિકાસયાત્રા રથ દ્વારા વિવિધ જનહિતની યોજનાઓનો લાભ લોકોને ઘર બેઠા આપવામાં આવ્યા હતા. સમગ્ર મોરબી જિલ્લામાં ૫૪ સ્થળો પર યોજાયેલા કાર્યક્રમમોમાં બહોળી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા.
વંદે ગુજરાત વિકાસયાત્રા હેઠળ મોરબી જિલ્લાના ગામે ગામ યોજાયેલા ૫૪ જેટલા કાર્યક્રમો થકી સી.સી.રોડ, પેવર બ્લોક, ભૂગર્ભ ગટર, કચરાના વ્યવસ્થાપન માટે ટ્રેક્ટર, પાણીની લાઈન, ક્રિકેટ ગ્રાઉન્ડ, બગીચાઓ સહિત ૬૩ ખાતમૂહુર્ત, ૬૭ લોકાર્પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ૩ નવા કામોની જાહેરાત પણ આ સંદર્ભે કરવામાં આવી હતી.
આમ, વંદે ગુજરાત વિકાસયાત્રા હેઠળ સમગ્ર મોરબી જિલ્લામાં ૧.૫ કરોડ રૂપિયાની માતબર રકમના ખાતમૂહુર્ત અમે લોકાર્પણ કરી પ્રજાજનોને વિકાસકાર્યોથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા
મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને ગૌરવ અનુભવે છે કે જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવા આપતા દિનેશભાઇ વડસોલાને ગુજરાત રાજ્યના HTAT (Head Teacher Aptitude Test) આચાર્ય સંવર્ગમાં રાજ્ય ઉપાધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. દિનેશભાઇ વડસોલાએ શિક્ષક તરીકે પોતાની સેવાઓ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સતત નવીનતા, નેતૃત્વ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા દર્શાવી છે....
(1) વર્ષ:- 2005 પછી નિમણુંક થયેલ શિક્ષકો કર્મચારીઓને જૂની પેંશન યોજના લાગુ કરવા બાબત,
(2) બીએલઓની કામગીરીમાં 90% જેટલા શિક્ષકો છે તો તમામ કેડરના કર્મચારીઓને બીએલઓની ફરજ સોંપવી તેમજ બીએલઓના મેડીકલ કારણો હોય,સરકાર માન્ય અને આયુષ્યમાન કાર્ડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં બાયપાસ ઓપરેશન કરાવેલ હોય,બધી જ ફાઈલ મામલતદાર કચેરીમાં રજૂ કરેલ...