વાતાવરણમાં પલટા થી લોકોને આકરા તાપ થી આંશિક રાહત મળી
મોરબી: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા તા.28 અને 29 દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જે મુજબ ગઈકાલે સાંજે ચાર વાગ્યા બાદ મોરબી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને તોફાની પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી જ મોરબી શહેરમાં અને આજુબાજુના કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ બની રહ્યું હોય તેવુ દેખાય રહ્યું છે.
તોફોની પવનના કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા હતા. અને આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા. કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાથી છુટકારો મળ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ત્યારે આજે વહેલી સવારથી જ આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા છે જેના લીધે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે અને કાળઝાળ ગરમીથી લોકો ને રાહત મળી છે.
મોરબી: શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત બાલસભા, પર્યાવરણ જાગૃતિ માટે રેલી તથા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ.
જેમાં બાલવાટિકા તથા ધો. 1 થી 8 સુધીના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો તેમાં પ્રથમ શાળાનાં શિક્ષક ચિકાણી રમણિકલાલ દ્વારા બાળકોને વિવિધ...
મોરબી જીલ્લાના એક દર્દી જેમની ઉમ્ર 55 વર્ષ છે જેમને બેભાન હાલત માં આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી માં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉ. ઉત્તમ પેઢડીયા સાહેબ કે જે જનરલ ફીઝાશિયન તેમજ ક્રીટીકલ સ્પેશિયાલિસ્ટ છે. તેમને દર્દી ની તપાસ કરતા તેમજ દર્દી ના સગા ને દર્દી ની જાણકારી પુછતા જણાયું...
મોરબીના પંચાસર રોડ પર આવેલ રાજનગર સોસાયટી ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા આજે રવિવારના રોજ શ્રી હરસિધ્ધ હનુમાનજી મંદિર ખાતે ૧૭૦૦ જેટલા અલગ અલગ ફુલ, ફળ અને છોડ નું વિતરણ કરાયું હતું.
જેમાં ૯૫૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. સવારે ૮:૩૦ થી રોપા લેવા માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા...