મોરબી: શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણીતાએ ફરીયાદ નોંધાવી
મોરબી: મોરબીના મચ્છુનગર રફાળેશ્વર ગામેની દિકરી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના લાખણકા ગામે સાસરે હોય અને ત્યા સાસરીયા પક્ષ દ્વારા ઘરકામ બાબતે મેણા ટોણા મારી તેમજ શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપી આપતા હોવાની ભોગ બનનાર પરણીતાએ આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના મચ્છુનગર રફાળેશ્વરમા રહેતા સેજલબેન નંદલાલભાઈ સોલંકી (ઉ.વ.૨૨) એ આરોપી નંદલાલભાઈ મંગાભાઈ સોલંકી (પતિ) , મંગાભાઈ સોલંકી (સસરા), રૂપાબેન મંગાભાઈ સોલંકી (સાસુ) રહે બધા લાખણકા તા. ચોટીલા જી. સુરેન્દ્રનગરવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીને આરોપીઓ ઘરકામ બાબતે અવાર નવાર મારકુટ કરી ગાળો આપી શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાની ભોગ બનનાર સેજલબેન ત્રણે જણા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.