મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત
મોરબીના વિજયનગર શેરી-૦૧ માં રહેતા યુવકને નાનપણથી આંચકીની બીમારી હોય જેનાથી કંટાળી જઈ યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરા વિસ્તારમાં વિજયનગર શેરી-૦૧ માં રહેતા લક્ષ્મણભાઈ દેવજીભાઈ પરમાર (ઉ.વ.૪૦) નામના યુવકને નાનપણથી આંચકીની બીમારી હોય જેથી પોતાની બીમારીના કારણે જીંદગી છી કંટાળી જઈ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.