મોરબીમા ભારે વરસાદને કારણે સ્થળાંતરિત કરાયેલ લોકો માટે જય અંબે ગ્રૂપ મોરબી દ્વારા રસોડું ચાલુ કરાયું
મોરબી: સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે ભારેથી અતિભારે વરસાદ વર્ષી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં કુદરતી પ્રકોપના કારણે અનેક લોકો સ્થળાંતરિત કરવામાં આવ્યા છે જે સ્થળાંતરિત કરાયેલ લોકો આરામથી જમી શકે તે માટે મોરબીમાં જય અંબે ગ્રુપ દ્વારા રસોડું ચાલુ કરી જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
મોરબી જિલ્લામા જ્યારે કુદરતી આફત આવે ત્યારે હંમેશા મોરબીની પ્રજાના પડખે જય અંબે ગ્રુપ ખડે પગે રહે છે. ત્યારે હરહંમેશની જેમ આજે પણ મોરબીમાં અતિવૃષ્ટિના પ્રકોપના કારણે સ્થળાંતરીત કરેલ લોકોમાં કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ના રહે તેની હરહંમેશ ચિંતા કરતા જીગ્નેશભાઈ કૈલા અને તેમના જય અંબે સેવા ગ્રૂપ દ્વારા આજે સ્થળાંતરીત લોકોને આરામથી જમી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે તથા જ્યાંસુધી કુદરતનો આ કહેર બંધના થઈ ત્યાંસુધી મોરબીમાં સ્થળાંતરિત થયેલ એકપણ વ્યક્તિ ભૂખ્યોના સુવે તેના સંકલ્પ સાથે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરીને મોરબીમાં જય અંબે સેવા ગ્રૂપ દ્વારા રસોડું ચાલુ કરી લોકોને જમાડવામાં આવી રહ્યા છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...