મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પ યોજાશે
મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨,૦(શહેરી) અન્વયેના બેનીફીશયરી લેડ કન્સ્ટ્રકશન(BLC) ઘટકના ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પ(મેળા)નું આયોજન
સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રીઆવાસ યોજના ૨.૦ (શહેરી) નું અમલીકરણ કરવામાં આવેલ છે.જેમાં BLC ઘટક અંતર્ગત નેશનલ બિલ્ડીંગ કોડના ધારા-ધોરણ મુજબ ૩૦ચો.મી થી ૪પયો.મી. કાર્પેટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું, અને શૌચાલય-બાથરૂમની સુવિધા સાથે પાકા નવા આવાસનું બાંધકામ કરી શકાશે. જે માટે પ્રતિ આવાસ દીઠ કેન્દ્ર સરકારશ્રી દ્વારા રકમ રૂ.૧,૫૦,૦૦૦/- અને રાજ્ય સરકારશ્રી દ્વારા રકમ રૂ.૨,૫૦,૦૦૦/- એમ કુલ મળીને રકમ રૂ.૪,૦૦,૦૦૦/-ની સહાય ૪(ચાર) હપ્તામાં મળવાપાત્ર રહેશે જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકાહદ વિસ્તાર ના નાગરિકો કે જેઓ પોતાની માલિકીનું કાચું, અર્ધ કાચું, જર્જરિત કે ખુલ્લો પ્લોટ ધરાવે છે અને તેઓની કૌટુંબિક વાર્ષિક આવક રકમ રૂ.૩.૦૦(ત્રણ) લાખ સુધીની છે અને ભારત ભરમાં અગાઉ આવાસની યોજનાના કોઈપણ ઘટકમાં લાભ લીધેલ નથી તેવા લાભાર્થીઓ પોતાની માલિકીનું પાકું નવું મકાન બાંધકામ કરવા ઈચ્છે છે તેઓને ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે મોરબીમહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ સ્થળ પર આયોજીત કેમ્પ(મેળા)ઓનું આયોજન કરવામાં આવે છે. જેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.
કેમ્પનો સમય દરરોજ સવારે ૧૦:૦૦ થી ૫:૦૦ કલાકે રહેશે તારીખ ૦૫ જુલાઈએ રોહીદાસ પરા મેઈન રોડ રોહીદાસ પરા આંગણવાડી તથા તારીખ ૦૭ જુલાઈ શ્રીજનકલ્યાણેશ્વર મહાદેવ મંદિર ઉમા ટાઉનશીપ ની સામે સામાકાંઠે તથા ૦૮ જુલાઈએ રામજી મંદિર ગોકુલનગર સનાળા રોડ મોરબી ખાતે કેમ્પ યોજાશે.