મોરબી: મોરબી તાલુકાના આમરણ ગામે મોનોકોટો દવા પી જતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ શામજીભાઇ છગનભાઇ ગાંભવા ઉવ-૫૮ રહે આમરણ ગામ તા.જી.મોરબી વાળાએ તા.૦૨/૦૬/૨૦૨૩ ના રોજ પોતાન ઘરે કોઇપણ કારણોસર કોઇપણ સમયે પોતે મોનોકોટો દવા પી જતા સારવાર અર્થે અત્રેની મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
