મોરબી : મોરબીના અણીયારી ગામે મહિલા સરપંચનો પુત્ર જાતે જ વહીવટ કરતો હોય અને મનફાવે તેમ મનમાની ચાલવતો હોય અને પછાત વર્ગને સુવિધાઓ આપવામાં અન્યાય કરીને મૂળભૂત અધિકારો સાથે છેળછાળ કરતો હોવાના આક્ષેપ સાથે એક વ્યક્તિએ જિલ્લા કલેક્ટર અને એસપીને લેખિતમાં રજૂઆત કરી છે.
મોરબીના અણીયારી ગામે રહેતા હસમુખભાઈ જીલુંભાઈ ગડેશિયાએ જિલ્લા કલેક્ટર અને એસપીને લેખિતમાં રજૂઆત કરી છે કે, અણીયારી ગામે મહિલા સરપંચ હોય પણ તેમનો દીકરો જ પંચાયતના તમામ કામો જાતે જ કરે છે. તેઓ પછાત વર્ગના હોય સરપંચનો પુત્ર રોષ રાખી મૂળભૂત અધિકારો અને સરકારી યોજનાથી વંચિત રાખતો હોવાનો આક્ષેપ કર્યો છે. સરપંચનો પુત્ર તેમના વિસ્તારોમાં રોડ રસ્તા ભૂગર્ભ ગટર, ૧૦૦ વારના પ્લોટ સહિતની સુવિધા બાબતે અન્યાય કરી રજુઆત કરીએ ત્યારે કાર્યવાહી કરવાને બદલે ઉદ્ધતાયભર્યું વર્તન કરે છે. આ સુવિધા ન આપીને ઉલટાનો તે ધમકી આપી દમદાટી આપતો હોય તેની સામે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ મૂળભૂત અધિકારો આપવાની માંગ કરી છે. તેમજ સરપંચના પુત્ર ઉપર કાર્યવાહી કરી મૂળભૂત અધિકારો ન અપાઈ તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન "જોવા જેવી દુનિયા"પ્રદર્શનનો લાભ લઈ આજના વિદ્યાર્થી આવતીકાલના ઉત્તમ નાગરિક બને એ માટનો સરાહનીય પ્રયાસ કર્યો.
આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં નૈતિકતા, સંસ્કાર તથા માનવીય...
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...