મોરબી : મોરબીના અણીયારી ગામે મહિલા સરપંચનો પુત્ર જાતે જ વહીવટ કરતો હોય અને મનફાવે તેમ મનમાની ચાલવતો હોય અને પછાત વર્ગને સુવિધાઓ આપવામાં અન્યાય કરીને મૂળભૂત અધિકારો સાથે છેળછાળ કરતો હોવાના આક્ષેપ સાથે એક વ્યક્તિએ જિલ્લા કલેક્ટર અને એસપીને લેખિતમાં રજૂઆત કરી છે.
મોરબીના અણીયારી ગામે રહેતા હસમુખભાઈ જીલુંભાઈ ગડેશિયાએ જિલ્લા કલેક્ટર અને એસપીને લેખિતમાં રજૂઆત કરી છે કે, અણીયારી ગામે મહિલા સરપંચ હોય પણ તેમનો દીકરો જ પંચાયતના તમામ કામો જાતે જ કરે છે. તેઓ પછાત વર્ગના હોય સરપંચનો પુત્ર રોષ રાખી મૂળભૂત અધિકારો અને સરકારી યોજનાથી વંચિત રાખતો હોવાનો આક્ષેપ કર્યો છે. સરપંચનો પુત્ર તેમના વિસ્તારોમાં રોડ રસ્તા ભૂગર્ભ ગટર, ૧૦૦ વારના પ્લોટ સહિતની સુવિધા બાબતે અન્યાય કરી રજુઆત કરીએ ત્યારે કાર્યવાહી કરવાને બદલે ઉદ્ધતાયભર્યું વર્તન કરે છે. આ સુવિધા ન આપીને ઉલટાનો તે ધમકી આપી દમદાટી આપતો હોય તેની સામે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ મૂળભૂત અધિકારો આપવાની માંગ કરી છે. તેમજ સરપંચના પુત્ર ઉપર કાર્યવાહી કરી મૂળભૂત અધિકારો ન અપાઈ તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...