મોરબીના આયુષ્માન આરોગ્ય મંદિર જીકીયારી દ્વારા NDD ડે અને રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી કરાઈ
ગયકાલે તારીખ 11 સપ્ટેમ્બર ના રોજ NDD નેશનલ ડિવોર્મિંગ ડે રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવેલ છે. જેમાં ૧ થી ૧૯ વયના શાળાએ જતા અને શાળાએ ન જતા તમામ બાળકોને શાળા અને આંગણવાડીમા કૃમિ નાશક દવા આપવામાં આવેલ.
તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ખરેડાના સેજામા આવતા આયુષ્યમાન આરોગ્ય મંદિર જીકીયારી દ્વારા વીસ્તાર મા આવતી સ્કુલો અને આંગણવાડીમાં આલ્બેન્ડાઝોલ ગોળી ચાવીને ખવડાવવામા આવી. જેમાં આયુષ્માન આરોગ્ય મંદિર જીકીયારી ના CHO ધવલ સોલંકી, આરોગ્ય કાર્યકર દીવ્યેશ આલગોતર તેમજ શિક્ષકગણ, આંગણવાડી કાર્યકરો, તથા આયુષમાન આરોગ્ય મંદીર જીકીયારીના સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ છે.