મોરબી: મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે તા. ૨૬-૦૫-૨૦૨૪ ને રવીવારના રોજ ચારોલા પરિવારનું સ્નેહમિલન યોજાશે. જેમાં મોરબી આજુબાજુના ગામોમાં વસતા ચારોલા પરિવારના બધા પરિવાર જનોને આ સ્નેહમિલન કાર્યક્રમ પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આજના જમાનામાં પરિવાર ભાવના જાળવવા માટે સ્નેહમિલન જેવાં કાર્યક્રમો ખુબ જરૂરી છે સ્નેહમિલન કાર્યક્રમ એટલે જાહેર જીવનમાં જીવંત લોકસંપર્કનું એક ઉમદા માધ્યમ છે તેમજ પરિવારના દરેક સભ્ય સુધી પહોંચવાનો એક નમ્ર પ્રયત્ન છે. પરસ્પર સ્નેહની આપ-લેને જીવંત રાખીને સંબંધોની આત્મીયતાને એક નવું જ જોમ પૂરું પાડવાનો અવસર છે. તો પરિવારના વિવિધ ઘટકોને સમરસતાના તાંતણે એક-સૂત્ર કરવા માટેનો અમૂલ્ય પર્વ છે. ખેડુત થી લઈને ઉદ્યોગકાર, નોકરીયાતથી લઈને વ્યવસાયિક તેમજ નાના ભુલકાંઓથી લઈને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી સહુ એક-મેક સાથે મળીને સ્નેહપર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આગામી તારીખ 26 મેના દિવસે મોરબી તાલુકાના બેલા (રંગપર) ખાતે ચારોલા પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચારોલા પરિવાર દ્વારા સાંજે 4 કલાકે બહુચરાજી માતાજી તથા સુરાપુરા પરબતદાદાના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે. અને ત્યારબાદ સાંજે 6-30 કલાકે પટેલ સમાજવાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે અને રાત્રે 8-30 કલાકે પટેલ સમાજવાડી ખાતે રાસ ગરબાનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી ડિસ્ટ્રી. એન્ડ સેસન્સ કોર્ટમાં મોરબી જિલ્લામાં સૌથી ચકચારી ટ્રક વડે મહિલાને કચડી નાખી મૃત્યુ નિપજાવવાના કેસના આરોપી અમૃતભાઈ કેશુલાલ ચૌહાણનો પ્રિન્સી. ડિસ્ટ્રી. એન્ડ સેસન્સ જજ શ્રીવાસ્તવ સાહેબનો ઐતીહાસીક ચુકાદો આપી આરોપી નિર્દોષ જાહેર કરવામાં આવેલ છે.
મોરબી સીટી એ ડીવી પોલીસ તા. ૩૧/૦૧/૨૦૨૪ ના રોજ ફરીયાદી રમણીકભાઈ કાનજીભાઈ ડાભીની...
રાજ્યભરમાં સાયબર ક્રાઇમ કરી અને મેળવેલ નાણાં મ્યુલ એકાઉન્ટનમા જમા કરી સગેવગે કરનાર શખ્સો વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં છેતરપિંડી નાણાં સગેવગે કરનાર આવા વધું ચાર શખ્સો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી...
હળવદ શહેરમાં બસ સ્ટેન્ડ પાછળ રહેતો યુવક પોતાના ઘરે જમવા જતો હોય ત્યારે ત્રણ ત્રણ શખ્સો ફરીયાદીના ઘર પાસે આવી યુવકના કૌટુંબિક ભાઈ સાથે આરોપીઓને ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી યુવક પર ત્રણ શખ્સોએ તલવાર વડે હુમલો કરી માર માર્યો તેમજ સાથી સરોજબેન વચ્ચે પડતા તેમને પણ માર...