Saturday, May 17, 2025

મોરબીના ગૌતમ બુદ્ધ બાલ સંસ્કાર દ્વારા ઓપરેશ સિંદૂરની ભવ્ય સફળતા બદલ ભારતમાતા પૂજનનો કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારતનાં પાકિસ્તાન સામે આતંકવાદનાં વિરોધમાં ભારતીય સેનાની ત્રણે પાંખના સૈનિકો દ્વારા અપાયેલ મુંહ તોડ જવાબ ” ઓપરેશન સિંદુર” નાં શૌર્યતા સભર સાહસનેં બિરદાવવા ભારતભરમાં ” તિરંગા યાત્રા” દ્વારા લોકો પણ સૈનિકોમાં ઉત્સાહ વધારી રહ્યાં છે.

સાહસ, શૌર્ય અને પરાક્રમનાં આ ગુણો બાળકોમાં પણ ઉતરે, દેશ પ્રેમમાં વધારો થાય એ હેતુસર લાલબાગ ઉપનગર પરશુરામ વસ્તી માં ચાલતાં “ગૌતમ બુદ્ધ બાલ સંસ્કાર કેન્દ્ર”નાં બાળકો દ્વારા ગઈકાલે સાંજે ભારતમાતા પુજન, તિરંગા યાત્રા અને બૌદ્ધ નગરમાં આવેલ બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ સહિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમનાં અતિથિ વિશેષ વિશ્વ હિન્દુ પરિષદ નાં મોરબી જિલ્લા સહમંત્રી એડવોકેટ પુષ્પરાજસિંહ જાડેજા, તથા સેવા વિભાગ શિક્ષા આયામ સંયોજક લલિતભાઈ પાન્ડેજી દ્વારા ભારત માતા પુજન કરી યાત્રાનો નારા સાથે ઉર્જામય વાતાવરણમાં પ્રારંભ કરાવ્યો.

તેમજ સંસ્કાર કેન્દ્રનાં બાળક જયરાજ વિક્રમભાઈ ટુંડીયા દ્વારા બાબા સાહેબની પ્રતિમાનેં પુષ્પ હાર તથા જિલ્લા સેવા પ્રમુખ લાલજીભાઈ કુનપરા તથા સ્થાનિક અગ્રણીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી આખાં વિસ્તારમાં લોકો દ્વારા ભારત માતા તથા બાળકો પર પુષ્પવર્ષા કરી આયોજનનેં વધાવી લીધું.

 આ કાર્યક્રમનાં અંતે બધાં જ બાળકોનેં નાસ્તો અને ચોકલેટ અ આપવામાં આવ્યાં હતાં.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર