મોરબી: મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે શાળા પ્રવેશોત્સવ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે પ્રાથમિક શાળામાં હર્ષોલ્લાસ સાથે પ્રવેશોત્સવ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં ધો.1 માં નવો પ્રવેશ મેળવનાર બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. અને ગોર ખીજડીયા ગામના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા રવીભાઈ હુંબલ દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોને બટુક ભોજન કરાવ્યું હતું.
આ કાર્યક્રમમાં અશોકભાઈ દેસાઈ (મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ), પરેશ ભાઈ રૂપાલા (તાલુકા પંચાયત સદસ્ય નાની વાવડી), સાગર ભાઈ સદાતીયા ( મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ) તથા ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઇ મોરડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
વાંકાનેર તાલુકાના સતાપર ગામની આજુબાજુના વિડી વિસ્તારમાંથી અવારનવાર દીપડાઓ ચડી આવતા હોય, જેના કારણે આ વિસ્તારના ખેડૂતોમાં સતત ભયનો માહોલ જોવા મળતો હોય, ત્યારે ગતરાત્રિના ગામની સીમમાં આવેલ એક ખેડૂતની વાડીએ ચડી આવેલ દીપડો ટ્રાન્સફોર્મર (ટીસી)માં ચડી જતા ઇલેક્ટ્રીક શોક લાગવાથી દિપડાનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે.
બનાવની પ્રાપ્ત...
મહિલા કલ્યાણ દિવસ અન્વયે ટંકારા તાલુકાના નેકનામ ગામ ખાતે મહિલાલક્ષી જાગૃતિ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં ઉપસ્થિત મહિલાઓને સરકારશ્રીના વિવિધ વિભાગોના અધિકારી અને કર્મચારીઓ દ્વારા જુદી જુદી યોજનાની અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા આ યોજનાઓ હેઠળ આપવામાં આવતા લાભો મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં યોજનાકીય...
સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) અન્વયે લીલાપરના સર્વે નંબર ૧૧૧૬ ની જમીનમાં ૪૦૦ આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. IHSDP આવાસ યોજનાના ૪૦૦ આવાસો માટે તા. ૩૦-૦૧-૨૦૧૭ ના રોજ કોમ્પ્યૂટર આધારિત ડ્રો કરીને ૪૦૦ લાભાર્થીઓની યાદી આખરી કરવામાં આવેલ છે.
ડ્રો યાદીમાં સફળ થયેલ લાભાર્થીઓ પૈકી જે લાભાર્થીઓ દ્વારા એક...