મોરબી: શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ, રેલ્વે સ્ટેશન રોડ મોરબી દ્વારા મોરબીના એતિહાસિક અને પૌરાણિક શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિતે આગામી રવિવારે શ્રી ભંડારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ બુધવારે મહાશિવરાત્રી નિમિતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે.
શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ દ્વારા તા. ૨૩ ને રવિવારે શ્રી ભંડારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ ખાતે તા. ૨૩ ને રવિવારે સાંજે ૭ કલાકે પ્રથમ મહાઆરતી બાદ શ્રી ભંડાર પ્રસાદ યોજાશે જેનો મોરબીના ધર્મપ્રેમી પરિવારોએ પ્રસાદનો લાભ લેવા મંદિરના સર્વે ટ્રસ્ટીઓ દ્વારા નિમંત્રણ પાઠવ્યું છેતે ઉપરાંત તા. ૨૬ ને બુધવારે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવમાં આવશે જેમાં બુધવારે સવારે ૫ કલાકે પ્રથમ સવારની પૂજા-આરતી, સવારે ૮ કલાકથી ભાંગ પ્રસાદ વિતરણ આખો દિવસ ચાલુ રહેશે બાદમાં સવારે દરકે મંદિરમાં ધજા આરોહણ, બપોરે ૪ : ૩૦ કલાકે શૃંગાર દર્શંન ખુલ્લા મુકવામાં આવશે સાંજે ૧૦૮ દીવડાની દીપમાલા સાથે મહાઆરતી, સાંજે ૭ : ૩૦ કલાકે ફરાળ પ્રસાદ વિતરણ, અને ચાર પહરની પૂજા/આરતી રાત્રે ૯ કલાકથી શરુ થશે અને સમગ્ર વિસ્તાર હર હર ભોલેનાથના નાદથી ગુંજી ઉઠશે
વરસે તો ચોમાસુ પાકના ઢગલા કરતા મઘા નક્ષત્રનો આવતી કાલે મોડી રાત થી પ્રારંભ: મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે
ભારતમાં ચોમાસું નક્ષત્રોના આધારે હોય છે. આપણા શાસ્ત્રોમાં નક્ષત્રોનું અનેરું મહત્વ હોય છે. નક્ષત્રો પરથી વરસાદનો વરસાતા કાઢનારા અનેક આગાહી શાસ્ત્રો આપણા દેશમાં છે. ત્યારે...
સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે મોરબી જિલ્લામાં પધારેલા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ હળવદ વિસ્તારમાં પિયત મંડળીઓની મુલાકાત લીધી હતી.
ગુજરાત રાજ્ય ઉદ્ધવહન પિયત સહકારી સંઘ હેઠળ મોરબીમાં હળવદ તાલુકામાં વિવિધ પિયત મંડળીઓ કાર્યરત છે. આ મંડળીઓની મંત્રી જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લઇ તેમની સાથે વિવિધ ચર્ચાઓ કરી હતી.
મુલાકાત દરમિયાન મંત્રીએ આ વિસ્તારમાં...
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે ૭૯ મોં સ્વતંત્રતા દિવસની ઉજવણી મહેન્દ્રસિંહજી ટાઉનહોલ ખાતે આવેલ ઉદ્યાનમાં કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અને શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયું હતુ.
આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા સંબંધોન કરવામાં આવ્યું હતું તેમજ મહાનગરપાલિકા...