મોરબી: મોરબી તાલુકાના ખાનપર ગામમાં દબાણો હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી ખાનપર ગામે જાહેર રસ્તા પર શૌચાલય, સિમેન્ટનો ઢાળીયો અને એક રૂમ જેટલું બાંધકામ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ એમ છાસીયા, વિસ્તરણ અધિકારી સી એમ ભોરણીયા, તલાટી કમ મંત્રી ખાનપર જયેશભાઈ નકુમની ટીમે આજે પોલીસ પ્રોટેક્શન હેઠળ ખાનપર ગામે આસામીઓ દ્વારા કરવામાં આવેલ દબાણો હટાવવાની કામગીરી કરી હતી પોપટભાઈ ભલાભાઈ પરમાર દ્વારા જાહેર રસ્તા પર શૌચાલય, ઓધવજીભાઈ બચુભાઈ જાકાસણીયા દ્વારા સિમેન્ટનો ઢાળીયો અને દિનેશભાઈ મગનભાઈ જાકાસણીયા દ્વારા પશુ દવાખાના વાળી શેરીમાં એક રૂમ જેટલું બાંધકામ કરી દબાણ કર્યા હોય જેથી અગાઉ ગ્રામ પંચાયત દ્વારા તમામ આસામીઓને ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ આખરી નોટીસો આપવામાં આવી હતી છતાં દબાણો દુર કર્યા ના હોય જેથી ડીડીઓ દિગ્વિજયસિંહ જાડેજાની સુચના અનુસાર દબાણો હટાવવામાં આવ્યા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...