મોરબી: મોરબીના જૂના બસ સ્ટેન્ડ રોડ પાસે આવેલ ખારા કુવાની શેરીમાં 70 વર્ષ પુરાણું હનુમાનજીનું મંદિર છે જે અહીંના સ્થાનિક તમામ લોકોને આસ્થાનું પ્રતિક સમાન છે ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા આ મંદિરને રીનોવેશન કર્યા બાદ કયા આધાર ઉપર અહીં મંદિર બાંધવામાં આવેલ છે તેના સ્થાનિક લોકો પાસે પુરાવા માંગતી એક નોટિસ આપવામાં આવતા સ્થાનિક શ્રદ્ધાળુઓ અને ભક્તજનોની લાગણી દુભાતા લોકોમાં રોષ જોવા મળી રહી છે.
મોરબી જીલ્લો જાહેર થયો ત્યારથી આજદિન સુધી હજુ પણ ઘણી બધી જગ્યાઓએ ગેરકાયદેસર બાંધકામ તેમજ દબાણોના ખડકલા જોવા મળી રહ્યા છે ત્યારે મોરબી નગરપાલિકા એ તમામ વગદારો દ્વારા કરવામાં આવતા ગેરકાયદેસર બાંધકામ પર હજી સુધી પગલા કેમ નથી લેતી અને આવા લોકોની આસ્થાના પ્રતીક સમાન ધાર્મિક સ્થાનોને જ કેમ ટાર્ગેટ બનાવી રહી છે તેઓ અણીયારો સવાલ સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યો છે આ મંદિર વર્ષો પુરાણું છે અને અહીંના જે સ્થાનિક વેપારીઓ છે તેમણે એક સામાન્ય મંદિરમાંથી રીનોવેશન કરી અને આસ્થા અને ભક્તિ ભાવપૂર્વક હનુમાનજીનું ત્યાં સ્થાપન કર્યું છે ત્યારે મોરબી નગરપાલિકા લોકોની લાગણી સાથે દૂર વ્યવહાર કરી રહી હોય તેઓ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ફીટનેસ વુમન ગ્રુપ તેમજ નીલકંઠ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે રાખી કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે,તેમજ બંને ગ્રુપમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર પર વિજેતા થયેલ બહેનોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવશે, પોતાની સુજબુજ અનુસાર વેસ્ટમાંથી બેસ્ટ, યુનિક તેમજ હેન્ડમેડ રાખી...
મોરબી જીલ્લામાં વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે મોરબીના ખાનપર થી પીઠડ જવાનો રસ્તો અતિ દયનીય હાલતમાં છે. રોડ પર મસ મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામા ભારે મુશ્કેલી પડી રહી છે. તેમજ ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલા રહે...
ટંકારા મોરબી હાઈવે રોડ ઉપર મહીન્દ્રા કંપનીના સો રૂમ પાછળ શ્રેયા ઘડીયારના કારખાનામાં આધેડ તથા સાથી કુરીયર પાર્સલની ડીલવરી લેવા તથા દેવા માટે ગયેલ હોય ત્યારે કહેલ કે પરમ દિવસે કેમ ઓફિસની બહાર મુકીને જતા રહેલ જેથી આધેડે એ કહેલ કે પાર્સલ તમોને મડી ગયેલ છે ને તેમ કહેતા...