મોરબી: મોરબીના કુબેરનગરમાં કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ કુબેરનગરમાં ત્રિલોકધામ મંદિરવાળી શેરીમાં રહેતા જયેશભાઇ અશોકભાઈ કચરાણી (ઉ.વ.૩૬) એ ગત તા. ૨૦-૦૬-૨૦૨૪ ના રોજ કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતાં મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
