મોરબી તાલુકાના લાલપર ગામે રહેતા યુવકે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામે રહેતા જયેશભાઇ આશારામભાઈ મોરી (ઉ.વ.૨૮) નામના યુવકે પોતાના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
