મોરબી: મોરબીના લાલપર ગામે ડેલ્ટા સિરામિક સામે આવેલા રેલ્વેના પાટામા આવી યુવાનનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મુળ બોટાદ જિલ્લાના ગઢડીયાના રહેવાસી અને હાલ મોરબીના લાલપર ગામે મિલેનિયમ પેપરમિલ મજુરની ઓરડીમાં રહેતા જેન્તીભાઇ ગોરધનભાઇ શેખ (ઉ.વ.૩૬) ગત તા.૨૫-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે લાલપર ગામે ડેલ્ટા સિરામિક સામે રેલ્વેના પાટામા કોઈ કારણોસર આવી જતા મોત નિપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરમાં દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ પરશુરામ પોટરી નટરાજ ફાટક પાસેથી વિદેશી દારૂની ૦૪ બોટલ જેની કિંમત રૂપિયા ૪૪૦૦ ના મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના...
મોરબીમા ખરાબ રોડ રસ્તા અને વાહનચાલકોની બેદરકારીના કારણે છાશવારે અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે મોરબીના કેનાલ રોડ ઉપર લાડલી પાર્ટી પ્લોટ સામે મહાશક્તિ પાનની દુકાન પાસે રોડ ઉપર આઇસરે હડફેટે લઈ યુવકને ઈજા પહોંચાડી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ નવજીવન સ્કૂલની...