મોરબી: સેજો રાજપરમાં આવતી આંગણવાડીની બહેનો દ્વારા પૌષ્ટિક વાનગી સ્પર્ધા શકત શનાળા આંગણવાડી કેન્દ્ર ખાતે યોજવામાં આવી હતી.
જેમાં શકત શનાળા ગ્રામ પંચાયતના સરપંચ સોનલબેન પ્રફુલભાઈ બાવરવા , ઉપસરપંચ ધર્મેન્દ્રસિંહ કરણુભા ઝાલા , શકત શનાળા પ્લોટ શાળાના આચાર્ય હર્ષદભાઈ મારવણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઉપસ્થિત મહેમાનોનું કુમકુમ તિલક કરી , આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને વિધિવત ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
જેમાં કૃપાબેન , અંજનીબેન અને સંગીતાબેને પોતાના પ્રતિભાવ આપી સરકાર નો આભાર વ્યક્ત કર્યો. ત્યારબાદ બહેનો દ્વારા બનાવવામાં આવેલ વાનગીઓ મહેમાનો દ્વારા ચાખી પ્રથમ , દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા.
આ કાર્યક્રમના અંતમાં પ્લોટ શાળાના આચાર્ય હર્ષદભાઈ મારવણીયા દ્વારા ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનાવેલ વિવિધ વાનગી વિશે રસપ્રદ વાતો કરવામાં આવી અને ભાગ લેનાર તમામ બહેનોને અભિનંદન પાઠવી પોતાના તરફથી પ્રોત્સાહક ભેટ સ્વરૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો તથા વિભાગ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.
કાર્યક્રમના અંતમાં રાજપર સેજાના સુપરવાઈઝર જાહન્વીબા ઝાલાએ ઉપસ્થિત તમામનો આભાર માન્યો હતો અને અંતમાં કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.
પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબીના સામાજીક, સેવાકાર્યોને બિરદાવી મોમેન્ટો સાથે સંસ્થાના સભ્યોને સન્માનિત કરાયા
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી સ્થિત મહિલાઓ દ્વારા સ્થાપિત અને સંચાલિત મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અનેક પ્રકારના શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, મહિલા સશક્તિકરણ, રાષ્ટ્રીય...
આગામી 13 એપ્રિલથી 16 એપ્રિલ દરમિયાન દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં યોજાવા જઈ રહેલા દેશના સૌ પ્રથમ પ્રીમિયમ ઇન્ટરનેશનલ બિલ્ડિંગ મટીરિયલ્સ એક્ઝિબિશન ‘વાયબ્રન્ટ બિલ્ડકોન 2025’ ને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આ એક્ઝિબિશનને લઈને આયોજકો અને આ એક્ઝિબિશનમાં ભાગ લઈ રહેલા એક્ઝિબિટર્સમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા...
મોરબી શહેરમાં આવેલ હેવી ટ્રાન્સમીટરની ફરતે લોખંડની ગ્રીલ લગાવવામાં આવે અને ખુલ્લી ફ્યુઝ પેટીમાં ઢાંકણા લગાવવામાં આવે જેથી કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે મોરબી શહેર પીજીવીસીએલના ડેપ્યુટી ઈજનેરને મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી દ્વારા લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજા દ્વારા...