મોરબી: સેજો રાજપરમાં આવતી આંગણવાડીની બહેનો દ્વારા પૌષ્ટિક વાનગી સ્પર્ધા શકત શનાળા આંગણવાડી કેન્દ્ર ખાતે યોજવામાં આવી હતી.
જેમાં શકત શનાળા ગ્રામ પંચાયતના સરપંચ સોનલબેન પ્રફુલભાઈ બાવરવા , ઉપસરપંચ ધર્મેન્દ્રસિંહ કરણુભા ઝાલા , શકત શનાળા પ્લોટ શાળાના આચાર્ય હર્ષદભાઈ મારવણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઉપસ્થિત મહેમાનોનું કુમકુમ તિલક કરી , આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને વિધિવત ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
જેમાં કૃપાબેન , અંજનીબેન અને સંગીતાબેને પોતાના પ્રતિભાવ આપી સરકાર નો આભાર વ્યક્ત કર્યો. ત્યારબાદ બહેનો દ્વારા બનાવવામાં આવેલ વાનગીઓ મહેમાનો દ્વારા ચાખી પ્રથમ , દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા.
આ કાર્યક્રમના અંતમાં પ્લોટ શાળાના આચાર્ય હર્ષદભાઈ મારવણીયા દ્વારા ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનાવેલ વિવિધ વાનગી વિશે રસપ્રદ વાતો કરવામાં આવી અને ભાગ લેનાર તમામ બહેનોને અભિનંદન પાઠવી પોતાના તરફથી પ્રોત્સાહક ભેટ સ્વરૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો તથા વિભાગ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.
કાર્યક્રમના અંતમાં રાજપર સેજાના સુપરવાઈઝર જાહન્વીબા ઝાલાએ ઉપસ્થિત તમામનો આભાર માન્યો હતો અને અંતમાં કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.
મોરબી: બોધિસત્વ ટ્રસ્ટ જામનગર દ્વારા જામનગર દેવ ભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લા ખાતે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં લાઇબ્રેરી, કોમ્પ્યુટર ક્લાસ, મેડિકલ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષાના ફ્રી વર્ગો, શૈક્ષણિક સહાય જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેના અનુસંધાને હાલ સંસ્થા દ્વારા મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકાનાં ધોરણ 10માં અભ્યાસ...
સરકારના વર્ષ ૨૦૧૮ નો ગુજરાત જમીન વિકાસ બોર્ડ નો મેનેજિંગ ડિરેક્ટર અને હજારો કરોડનો કૌભાંડી અને મોરબી જમીન કૌભાંડનો આરોપી કનૈયાલાલ દેત્રોજા મોરબી-વડોદરા પોલીસ ની મીલી ભગત થી 90 દિવસે હાથમાં આવેલો આરોપી પોલીસ પકડ માંથી ભાગ્યો કે ભગાડ્યો..?
કનૈયાલાલ દેત્રોજા ઉપર ગુજરાત ACB અને ED એ ભ્રષ્ટાચાર માં વર્ષ...
મોરબી શહેરમાં વ્યાજખોરો ગમે તે કરી શકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી હદે કથળી ગઈ છે કે જાણે મોરબીમાં પોલીસ જ ન હોય ત્યારે મોરબીના રોહિદાસપરામા રહેતા યુવકે આરોપી પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય અને દર માસે વ્યાજની ચુકવણી કરતા હોય પરંતુ છેલ્લા છ-સાત માસથી વ્યાજના પૈસા ન ચૂકવી...