રંગપડીયા પરિવારનાં વડીલોનાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી હવનની શરૂઆત કરવાવમાં આવી હતી.
મોરબીના રાજપર ગામ ખાતે આવેલ રંગપડીયા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીના મંદિર નું હાલમાંજ ખૂબ સરસ રીનોવેશન કરવામાં આવ્યું છે જેથી રાજપર ગામના સમસ્ત રંગપડીયા પરિવાર દ્વારા 11 કુંડી નવચંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજન રાજપર ખાતે આવેલ પટેલ સમાજવાડી ખાતે સમસ્ત રંગપડીયા પરિવાર દ્વારા અગિયાર કુંડી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં માતાજીની આસ્થાભેર ધાર્મિક વિધિ અને અગિયાર કુંડી નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં સમગ્ર રંગપડીયા પરિવારના યુવાનો, વડીલો અને મહિલાઓ સહિત બહોળી સંખ્યામાં પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...