આમતો આ ગામ વિકાસની દ્રષ્ટિએ ખૂબ આગળ છે પણ હવે તેમા પણ સુવિધાનો ઉમેરો થયો છે.
મોરબી: સ્વ. ભુરાભાઈ રવજીભાઈ મારવણીયાના પરિવાર દ્વારા રાજપર ગામને વૈકુંઠ રથ અર્પણ કરવામાં આવ્યો છે. અંતિમ યાત્રા સમયે ઉપયોગમાં લઈ શકાય તે માટે મારવણીયા પરિવારે રાજપર ગામને આ વૈકુંઠ રથ અર્પણ કર્યો છે. આ તકે ગ્રામ પંચાયતના સરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
