મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામે રહેતા ભીખાભાઈ આપાભાઈ જારીયા (ઉ.વ.૪૫) એ આરોપી અજય પ્રતાપભાઈ ચાવડા, પ્રદીપભાઈ ચાવડા, સતિષભાઈ રમેશભાઈ ચાવડા (રહે ત્રણે રવાપર મોરબી) વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદી ભીખાભાઈના પત્ની ભારતીબેન ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રવાપર ગામની પંચાયતના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હોય જે બાબતની જુની અદાવત રાખી આરોપી અજયભાઈ તલવાર વડે ફરીયાદીને ડાબા હાથ તથા સાહેદને જમણા કાનના ભાગે તથા આરોપી પ્રદીપભાઈ એ લોખંડના પાઈપ વડે ફરીયાદીને જમણા હાથે તથા જમણા પગે તેમજ વાસાના ભાગે તેમજ સાહેદને ડાબી આંખ ઉપર તથા આરોપી સતિષભાઈ એ લાકડાના ધોકા વડે ફરીયાદીને ઘા મારી તેમજ ત્રણે આરોપીએ ભેગા મળી ફરીયાદી તથા સાહેદને ગાળો આપી ઝપાઝપી કરી શરીરે મુંઢ ઈજા તેમજ ફરીયાદી ને વાસાના ભાગે ફેક્ચર જેવી ઈજા કરી એકબીજાને ગુન્હામાં મદદ કરી હતિ. આ બનાવ અંગે ભીખાભાઈ દ્વારા મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ત્રણે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગત વર્ષે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્થાપના ના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જયુબિલી ની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી એમાં ભૂતપૂર્વ સ્ટાફ અને ભૂતપૂર્વક સ્ટુડન્ટસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાને વિચાર આવ્યો કે સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વર્તમાન વાલીઓને પણ આપણે એક સાથે બોલાવીએ...
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ 2025 થી 23 ડિસેમ્બર 2025 સુધી 2025 પશુ પકડેલ છે. વિવિધ વિસ્તારમાંથી રખડતા ઢૌર પકડીને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે.
તદુપરાંત પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 178 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે. 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપેલ...