મોરબી: આજ રોજ મોરબીના વિજયનગર વિસ્તારમાં આવેલ ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપી વિદાય આપવામાં આવી હતી.
તેમજ વિદાય સમયે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષિકાબહેનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા તથા આચર્ય ભરતભાઇ બી. લોહિયાની આંખમાંથી પણ આસુ સરી પડ્યા હતા. જ્યારે શાળામાથી વિદાય લઇ રહેલા ધોરણ ૮ ના વહાલા બાળ પુષ્પો જીવનમાં ઉચ્ચ અભ્યાસ કરીને ખુબ આગળ વધે એવી શિક્ષકો દ્વારા હાર્દીક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને નાસ્તો અને આઇસ્ક્રીમ આપવામાં આવ્યા હતા.
