આવતીકાલે તારીખ ૧૨ એપ્રિલ હનુમાન જયંતી હોય અને યોગાનુયોગ હનુમાન જયંતી અને શનીવાર સાથે હોવાથી મોરબીના વિરપરડા ગામે સમસ્ત સાદરીયા પરીવાર દ્વારા ધુન ભજન અને મારૂતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં તારીખ ૧૧-૦૪-૨૦૨૫ ને ને શુક્રવાર ના રોજ સાંજના ૭:૩૦ કલાકે પ્રસાદ રાખેલ છે. તેમજ રાત્રે ૦૮ કલાકે ધુન ભજન રાખેલ છે.
જ્યારે તારીખ ૧૨-૦૪-૨૦૨૫ ને શનીવારના રોજ શ્રી હનુમાનજી જન્મોત્સવ ના પવિત્ર દિવસે મારૂતિ યજ્ઞ રાખેલ છે જેનો પ્રારંભ સવારે ૦૭:૦૦ કલાકે તથા મહાપ્રસાદ બપોરના ૧૧:૩૦ કલાકે તથા બિંડુ હોમવાનો સમય સાંજે ૦૩:૩૦ કલાક રાખવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષના યજ્ઞ (હવન) ના યજમાન સ્વ. નરભેરામભાઈ ભગવાનજીભાઈ સાદરીયા છે જેથી સાદરીયા પરીવાર તથા તમાંમ દિકરીઓને યજ્ઞમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
નોંધ:- આવતા વર્ષે યજ્ઞના યજમાન પદ માટેનો ચડાવો તા. ૧૧-૦૪-૨૦૨૫, શુક્રવાર ના રોજ સાંજે ૫-૩૦ કલાકે હનુમાનજી મહારાજના સાંનિધ્યમાં રાખવામાં આવેલ છે.
પૈસા અને પોલિટીકલ નેતાના પાવરથી આ આરોપીઓ પૈકીના કેટલાક આરોપીઓ ગમે તેને ગમે ત્યારે બદનામ કરી શકે છે!
બે-ચાર દિવસ અગાઉ મોરબીના સુભાષનગરમાં પ્રૌઢના ઘરે જઈને ૨૩ જેટલા શખ્સોએ ગાળા ગાળી કરી અને પ્રૌઢ તથા તેના ભાઈ સાથે ઝપાઝપી કરી પરિવારને બદનામ કર્યો હતો જેની ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન...
મોરબી માળિયા હાઈવે રોડ ઉપર નાગડાવાસ ગામના પાટીયા નજીક રોડ ઉપર ટ્રકમાંથી વિદેશી દારૂ/બીયરના કિં રૂ. ૧,૧૪,૭૨૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૧૧,૨૪,૭૨૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી માળિયા હાઈવે...