આવતીકાલે તારીખ ૧૨ એપ્રિલ હનુમાન જયંતી હોય અને યોગાનુયોગ હનુમાન જયંતી અને શનીવાર સાથે હોવાથી મોરબીના વિરપરડા ગામે સમસ્ત સાદરીયા પરીવાર દ્વારા ધુન ભજન અને મારૂતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં તારીખ ૧૧-૦૪-૨૦૨૫ ને ને શુક્રવાર ના રોજ સાંજના ૭:૩૦ કલાકે પ્રસાદ રાખેલ છે. તેમજ રાત્રે ૦૮ કલાકે ધુન ભજન રાખેલ છે.
જ્યારે તારીખ ૧૨-૦૪-૨૦૨૫ ને શનીવારના રોજ શ્રી હનુમાનજી જન્મોત્સવ ના પવિત્ર દિવસે મારૂતિ યજ્ઞ રાખેલ છે જેનો પ્રારંભ સવારે ૦૭:૦૦ કલાકે તથા મહાપ્રસાદ બપોરના ૧૧:૩૦ કલાકે તથા બિંડુ હોમવાનો સમય સાંજે ૦૩:૩૦ કલાક રાખવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષના યજ્ઞ (હવન) ના યજમાન સ્વ. નરભેરામભાઈ ભગવાનજીભાઈ સાદરીયા છે જેથી સાદરીયા પરીવાર તથા તમાંમ દિકરીઓને યજ્ઞમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
નોંધ:- આવતા વર્ષે યજ્ઞના યજમાન પદ માટેનો ચડાવો તા. ૧૧-૦૪-૨૦૨૫, શુક્રવાર ના રોજ સાંજે ૫-૩૦ કલાકે હનુમાનજી મહારાજના સાંનિધ્યમાં રાખવામાં આવેલ છે.
રાજ્યમાં PSI તથા કોન્સ્ટેબલ ની બમ્પર ભરતી જાહેર થતા મોરબીની પ્રતિષ્ઠિત નવયુગ કરિયર અકાડેમી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી ટ્રાયલ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે.
છેલ્લા 8 વર્ષથી પોલીસ ભરતીમાં શ્રેષ્ઠ પરિણામ આપતી આ સંસ્થા PSI–કોન્સ્ટેબલની નવી બેચ શરૂ કરી રહી છે. તેના ભાગરૂપે 11, 12 અને...
સાત દિકરીઓના સમુહ લગ્ન કરવાના છે લગ્નનાં ફોર્મ ભરવાની છેલ્લી તા. ૩૧-૧૨ -૨૦૨૫ છે.
મોરબીઃ દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સાતમાં સમૂહ લગ્નોત્સવ યોજાશે.જે ફાગણ વદ ૧૦ (દસમ), શનિવાર તા.૧૪-૩-૨૬ રોજ સાંજના રાખવામાં આવેલ છે સમૂહ લગ્નમાં જોડાવા ઈચ્છતા દશનામ સમાજના યુવક-યુવતીઓના વાલીઓ એ તા.૩૧-૧૨-૨૦૨૫ સુધીમાં સંપર્ક કરવા જણાવાયું છે....
મોરબીના લીલાપર રોડ પર આવેલ રાધેશ્યામ પેપર મીલમાં કામ કરતી વખતે મશીનમાં પડી જતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું.
મળતી માહિતી મુજબ મુળ ઉતરપ્રદેશના વતની અને હાલ મોરબીના લીલાપર રોડ પર આવેલ રાધેશ્યામ પેપર મીલમાં રહેતા વિવેક જમાહીરલાલ ચમાર (ઉ.વ.૧૯) નામનો યુવક રાધેશ્યામ પેપર મીલમાં કામ કરતો હોય તે...