રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે નહેરુ ગેટ લાઇટિંગ શોના લોકાર્પણ સહિત મોરબીના અનેક વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ તમામ ક્ષેત્રે બેમિસાલ કામગીરી બદલ મોરબી નગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, મોરબીમાં કરોડોની ગ્રાન્ટ થકી અનેક વિકાસ કામો થઈ રહ્યા છે ત્યારે એક જ દિવસમાં ૧૮ કરોડના વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે.
મોરબીની આન બાન અને શાન સમો નહેરુ ગેટ લાઇટિંગ શો થકી દિપી ઉઠ્યો છે. ઉપરાંત હર ઘર તિરંગા અભિયાન હેઠળ સમગ્ર મોરબીમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે ગર્વની લાગણી પણ વ્યક્ત હતી. વધુમાં તેમણે તેમની ધારાસભ્યની ગ્રાન્ટ માંથી મોરબીના વિકાસ કામો માટે પ્રત્યેક વોર્ડને રૂપિયા પાંચ લાખ એમ કુલ રૂપિયા પાંસઠ લાખની ફાળવણી કરી હતી. આ પ્રસંગે મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમારે સ્વાગત પ્રવચન કર્યું હતું તથા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નહેરુ ગેટ લાઈટિંગ શો, નહેરુ ગેટ થી દરબાર ગઢ ચોક સુધી પેવર બ્લોક, ૧૬ નવી આંગણવાડી, લીલાપર રોડ પાણીની લાઈન, ૨ સ્મશાન ભઠ્ઠી, સાંસ્કૃતિક હોલ, ૬૦૦૦ એલ. ઈ. ડી.લાઈટ, ઈપ્રગતિ સોફ્ટવેર વગેરે વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતાં. સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ ઓર્કેસ્ટ્રા દ્વારા દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના તાલે મંત્રીશ્રી ઝૂમી ઉઠ્યા હતાં. આ પ્રસંગે મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, અગ્રણી લાખાભાઈ જારીયા તેમજ ઋષિભાઈ કૈલા અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મંજુરી વગર ચાલી રહેલા બાંધકામોને અગાઉ નોટિસો પાઠવવામાં આવી હતી. તેમ છતાં પણ સંબંધિત પક્ષકારોએ મહાનગરપાલિકાની નોટિસની અવગણના કરી બાંધકામ કાર્ય ચાલુ રાખ્યું હતું, જે નિયમ મુજબ ન...
આજે મોરબી જિલ્લા યુવક કોંગ્રેસની પ્રથમ કારોબારી મિટિંગ સનાળા રોડ ખાતે આવેલ પટેલ શોપિંગમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાઈ હતી.
જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ ના પ્રમુખ પ્રવીણ સિંહ વણોલ, મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ વસીમ મન્સુરી, મોરબી માળિયા વિધાનસભા પ્રમુખ રાજ ખાંભરા ટંકારા પડધરી વિધાનસભા પ્રમુખ મિલન...
હળવદ તાલુકાના ટીકર ગામે દેવજીભાઈ મનજીભાઈ પરમાર ના ઘરે 70 વર્ષીય વૃદ્ધા દિવાબત્તી કરતા હોય તે વેડાએ શરીરે આગ લાગી દાઝી જતા વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા રુબીબેન મનજીભાઈ પરમાર (ઉ.વ.૭૦). નામના વૃદ્ધ મહિલા ઘરે માતાજીના મંદિરમાં દિવાબતી કરતા હોય ત્યારે અચાનક...